ગામડિયા કોલોની રિક્રિએશન સેન્ટરે જૂન 10, 2017ને જમિયાદ રોજને દિને દએ મહિનાના જશનની ઉજવણી કરી હતી. જશનની પવિત્ર ક્રિયા એરવદ વિરાફ ભેસાનિયા અને એરવદ પાશાન અંકલેસરિયાદ્વારા કરવામાં આવી હતી. જશનની ક્રિયા પછી દસ્તુરજી અને ત્યા હાજર રહેલા લોકોએ હમબંદગી કરી ત્યારબાદ ચાશ્ની પીરસવામાં આવી હતી. કમિટી મેમ્બરોએ જશનમાં આવેલા લોકોનો આભાર માન્યો હતો.
ગામડિયા કોલોની વેલફેર એસોસીએશનએ તેમનું વાર્ષિક જશન 11મી જૂન 2017ને દિને શેઠના અગિયારના હોલમાં કર્યુ. પ્રાર્થના પછી મનોરંજનનો કાર્યક્રમ રજૂ થયો હતો જેની વ્યવસ્થા બિનાયફર મહેતાએ કરી હતી અને આ કાર્યક્રમમાં 150 જેટલા લોકોએ ભાગ લીધો હતો.
Latest posts by PT Reporter (see all)
- 1908ના ચુકાદા પર સર્વોચ્ચ અદાલતનો પુનર્વિચાર, પારસી ઓળખ પર અસર - 7 March2026
- હૈદરાબાદની ચિનોય અગિયારીમાં ભક્તિના બે દાયકાનો ઉજવણીમય પ્રસંગ - 7 March2026
- 169 વર્ષ જૂની વાચ્છાગાંધી અગિયારી ફરી તેજસ્વી બની - 7 March2026
