વકીલ અગિયારી નવીનીકરણ દરમિયાન દરવાજા ખોલે છે

અમદાવાદ: સમાચાર અહેવાલ અનુસાર અમદાવાદના લોકો જરથોસ્તી ધર્મ અને તેમની સંસ્કૃતિ સમજી શકે તે માટે પંચાયતે 90 વરસ જૂની વકીલ આદરિયાન જ્યાં સુધી આદરિયાનનું નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યાં સુધી  દરવાજા ખુલ્લા મુકાયા છે. નવીનીકરણના અંતે નવા આતશ સાથે આદરિયાન પવિત્ર થશે તે પહેલા સુધી ધાર્મિક હોલના દરવાજા ખુલ્લા રહેશે.

પવિત્ર આતશની જાળવણી કરવા માટે ફકત ધર્મગુરૂઓજ કેબલામાં પ્રવેશ કરી શકે છે પરંતુ આદરિયાનના નવીનીકરણ દરમ્યાન જરથોસ્તીઓ પણ કેબલામાં પ્રવેશ મેળવી શકે છે. 1986થી અગિયારીનું પુન:ર્નિમાણ કરવામાં આવ્યું નહોતું અને તાત્કાલિક સમારકામ જરૂરી હતું. સમારકામનો ખર્ચ 50 લાખ જેટલો છે.

 

Leave a Reply

*