થાણેની પટેલ અગિયારીના કુવા પર આવા યઝદનું પરબ

24મી માર્ચ 2019ના દિને થાણાના જરથોસ્તીઓ દ્વારા  પટેલ અગિયારીના કુવા પર  આવા યઝદના પરબની ઉજવણી કરવામાં આવી હતી. જશનની પવિત્ર ક્રિયા સાંજે સ્ટે.ટા. 5.00 કલાકે એરવદ કેરસી સિધવા અને એરવદ આદિલ દસ્તુર દ્વારા કરવામાં આવી હતી. દસ્તુરજીની આગેવાની હેઠળ હમદીનોએ કુવા પર પ્રાર્થના કરી હતી. હમબંદગીમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જે નિયમીત મુલાકાતીઓ પણ નહોતા તે જોઈ આનંદ થયો હતો. દાળની પોળી તથા ફળો ચાશની તરીકે લોકોને આપવામાં આવ્યા હતા. આવા અરદવીશુરબાનુના આશિર્વાદ લઈ લોકો છૂટા પડયા હતા.

 

About ખુશરૂ મહેતા

Leave a Reply

*