રોજ દીન, માહ અરદીબહેસ્તને તા. 9મી ઓકટોબર, 2019ને દિવસે હમારી અનજુમનના એકટીવ કમીટી મેમ્બર શેઠ પરસી જમશેદ દવિએરવાલાના અચાનક અવસાનના દુ:ખદ સમાચાર મળતા અનજુમનના સર્વે ટ્રસ્ટીઓ અને દવિએરવાસીઓ શોકની લાગર અનુભવી હતી. એમના ધણીયાણી અને કુટુંબીઓ ઉપર આવી પડેલી આ અણધારેલી આફતમાં અમે સર્વે સહભાગી થતાં દુવા કરીએ છીએ કે એ અમારા દવિએર ગામ અને દવિએર અનજુમનના લાગણીવંતા પરસીના આત્માને ગરોથમાન બહેશ્તની શાંતિ મળે અને એમના વહાલા ધણીયાણી અને કુટુંબીજનો પર આષિષ ઉતરે, આ જબૂન દુ:ખ ખમવાની શક્તિ મળે. એવી ખરાં જીગરની પ્રાર્થના કરીએ છીએ.
એમની અને એમના કુટુંબીજનો તરફથી મળેલી દવિએર અનજુમનને મદદ સદાકાળ યાદ રહેશે.
– દવિએર પારસી જરથોસ્તી અનજુમનના ટ્રસ્ટીઓ અને
કમીટી મેમ્બર.
Latest posts by PT Reporter (see all)
- હોળી રંગોનો તહેવાર… આખરે આ રંગો આવ્યા કયાંથી? - 23 March2024
- નવસારીમાં ટાટા ફાઉન્ડર્સ ડેની ઉજવણી કરવામાં આવી - 23 March2024
- સેન્ટર ફોર અવેસ્તા-પહલવી સ્ટડીઝમુંબઈ યુનિવર્સિટી ખાતે શરૂ કરવામાં આવ્યું - 23 March2024