મન અને પ્રાર્થના

હું ભગવાન સાથે વાત કરું છું, પણ આકાશ ખાલી છે.
જીવન જીવતી વખતે ઘણીવાર જીવનમાં પસાર થતા અનેક પડકારોનો સમાનો કરવો પડે છે અને કેટલીક શંકાઓ આપણા મનનાં જન્મે છે. શંકા પ્રબળ હોય છે કારણ કે તે આપણી કહેવાતી વાસ્તવિકતામાં સંપૂર્ણ રીતે સ્થાપિત છે. ખરાબ રિપોર્ટ કાર્ડ, એક કંગાળ રક્ત પરીક્ષણ, નિષ્ફળ સંબંધ, ઘરે તણાવ… આ બધું વાસ્તવિક છે અને ફકત આપણી કલ્પના સમજી તેમની મશ્કરી ઉડાવવાની નથી. તેથી, જ્યારે આપણને આમાંથી કોઈ પણનો સામનો કરવો પડે છે, ત્યારે બધા આપણે સારા ડોકટરો પાસે જવાની સલાહ આપે છે અને આપણે તેમનું સુચન માનવું જોઈએ. જ્યારે રોગ ગંભીર હોય છે, ત્યારે તેઓ ડોઝ અથવા દવાની શક્તિમાં વધારો કરે છે. તેમ જ, જ્યારે આપણને કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે, ત્યારે આપણે આપણી પ્રાર્થનાનો ડોઝ વધારવો જરૂરી છે!
વધુ દ્રઢ વિશ્ર્વાસ સાથે પ્રાર્થના કરો, વધુ આસ્થા સાથે પ્રાર્થના કરો અને વધુ મહત્ત્વનું, નિયમિતપણે પ્રાર્થના કરો. અત્યાર સુધી, મેં ફક્ત ટૂંકી અને સૌથી અસરકારક નિરંગો અને 101નામોની હિમાયત કરી છે. પરંતુ, આ ફક્ત એક પ્રારંભ માટે કરવામાં આવે છે. આપણી લાંબી પ્રાર્થનાઓ ખરેખર બધી બિમારીઓનો શ્રેષ્ઠ ઉપાય છે. તેથી, એક સમયે એક દિવસ લો. તમારા હૃદયમાં અનુભવો અને તે પ્રાર્થના શોધો કે જે તમને શ્રેષ્ઠ અનુકૂળ આવે. મૂળભૂત બાબતોને ભૂલશો નહીં – સરોશ બાજ દ્વારા અનુસરવામાં આવતી સરળ કસ્તી ખૂબ અસરકારક છે. અગિયારીમાં જાઓ અને અહુરા મઝદાના પુત્રની સામે ઉભા રહી તમારી શંકાઓ તેમની સાથે શેર કરો. મારો અનુભવ કહે છે કે તમને કોઈ ઉપાય બતાવ્યા સિવાય તમને ત્યાંથી નહીં છોડે!
તમારા વિશ્ર્વાસને સશક્ત બનાવો – તેને તમારી શંકા કરતા વધુ મજબૂત બનાવો… ડોઝમાં વધારો કરો!

About ડેઝી પી. નવદર

Leave a Reply

*