આરમીન મોદીને તા. 18 મી એપ્રિલ, 2020 ના રોજ, ભારતની શિક્ષણ અને સાક્ષરતાના ક્ષેત્રમાં તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને સમુદાયની વિસ્તૃત સેવા – બંનેના સ્વીકાર તરીકે, ‘વર્લ્ડ લિટરસી સમિટ 2020’માં, પ્રતિષ્ઠિત આલ્બર્ટ શ્વેત્ઝર મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. વૈશ્વિક લોકડાઉનને ધ્યાનમાં રાખીને આ વર્ષે સમિટ એવોર્ડ સમારોહ ઓનલાઈન યોજાયો હતો.
આરમીન મોદી, ભારતના મહારાષ્ટ્ર રાજ્યના પૂના જિલ્લાના દસ ગામોમાં ગ્રામીણ મહિલાઓ અને છોકરીઓને શિક્ષિત અને સશક્તિકરણ કરતી સંસ્થા, ‘આસ્તા નો કાઇ’ના સ્થાપક છે. 1998 થી, ભારતમાં ગ્રામીણ મહિલાઓને ઉત્સાહિત કરવા તરફ આરમીનના નોંધપાત્ર પ્રયત્નોથી સેંકડો કિશોરીઓનાં શૈક્ષણિક પરિણામોને સુધારવામાં મદદ મળી છે.
2020 આલ્બર્ટ શ્વેત્ઝર મેડાલિસ્ટ આરમીન મોદીએ જણાવ્યું હતું કે, ‘ગરીબી અને નિરક્ષરતાના મુદ્દાઓ ફક્ત એકલા ગરીબ અને હાંસિયામાં ધકેલી દેવાની સમસ્યાઓ નથી, પરંતુ સાર્વત્રિક મુદ્દાઓ છે કે જેની ચિંતા બધાને છે.’
- હોળી રંગોનો તહેવાર… આખરે આ રંગો આવ્યા કયાંથી? - 23 March2024
- નવસારીમાં ટાટા ફાઉન્ડર્સ ડેની ઉજવણી કરવામાં આવી - 23 March2024
- સેન્ટર ફોર અવેસ્તા-પહલવી સ્ટડીઝમુંબઈ યુનિવર્સિટી ખાતે શરૂ કરવામાં આવ્યું - 23 March2024