ઝેન સિરીઝ: આંતરિક સંવાદિતા

આપણે એક પ્રખ્યાત માસ્ટરના અધ્યયન હેઠળ, યુવા માર્શલ આર્ટના વિદ્યાર્થીની વાર્તાથી પ્રારંભ કરીએ છીએ …
એક દિવસ, માસ્ટર આંગણામાં પ્રેકિટસ કરતા સત્રને જોઈ રહ્યા હતા. એમને લાગ્યું કે અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં એક યુવાન છે જે પ્રયત્ન કરી રહ્યો છે પણ તેને કંઈ દખલ કરી રહ્યું છે. યુવાનની હતાશાની અનુભૂતિ થતાં, માસ્ટર તે યુવાનની પાસે ગયા અને તેને તેના ખભા પર ટેપ કરી પૂછ્યું, ‘શું સમસ્યા છે?’
યુવકે તણાવપૂર્ણ અભિવ્યક્તિ સાથે કહ્યું, હું જાણતો નથી. ‘પરંતુ હું કેટલો પણ પ્રયત્ન કરૂં, હું સરખી રીતે ચાલને યોગ્ય રીતે ચલાવવામાં અસમર્થ છું.’
તમે તકનીકીમાં નિપુણતા મેળવતા પહેલાં, તમારે સંવાદિતા સમજવી જોઈએ. મારી સાથે આવ, હું સમજાવીશ, માસ્ટરે જવાબ આપ્યો. શિક્ષક અને વિદ્યાર્થી મકાન છોડીને જંગલમાં થોડે દૂર ચાલ્યા ગયા, જ્યાં તેઓ એક નદીના પ્રવાહ તરફ આવ્યા. માસ્ટર ઘણી ક્ષણો શાંતિથી કાંઠે ઉભા રહ્યા. પછી તે બોલ્યા, પ્રવાહને જો. તેની આસપાદ કેટલા ખડકો છે, શું પ્રવાહ હતાશ થાય છે? નહીં પરંતુ તે તેમની આસપાસ જગા કરી વહે છે અને આગળ વધે છે! પાણીની જેમ બનો અને તમે જાણશો કે સંવાદિતા શું છે.’
યુવકે માસ્ટરની સલાહને હૃદયમાં લીધી. ટૂંક સમયમાં, તે આસપાસના અન્ય વિદ્યાર્થીઓ પર ધ્યાન આપવા માંડયો અને છેલ્લે તેની ચાલ ચાલવામાં તેણે સફળતા મેળવી!
સૌજન્ય: બુદ્ધ ગ્રુવ
શું આપણી સાથે આવું વારંવાર થતું નથી? ઘણી વખત, આપણે આપણી આસપાસ જે બનતું હોય છે તેની અસર પડે છે. આપણે આપણી અને અન્ય સાથે કરવામાં આવેલ આપણી યોજનાઓ અને વચનો પાર પાડવાથી વિચલિત થઈ જઈએ છીએ. આપણે આપણું સારું પ્રદર્શન કરવા સક્ષમ ન હોઈએ. કેમ? કારણ કે આપણે આપણી આજુબાજુની ચીજોથી કંટાળી જઈએ છીએ. જ્યારે આપણે બીજાઓને સારું કામ કરતા જોઈયે છીએ, ત્યારે અસુરક્ષાની ભાવના આપણા મનમાં આવી જાય છે. અને આપણને અપૂર્ણ અને અવિશ્ર્વાસની લાગણી અનુભવીએ છીએ. આપણે ઘણીવાર જરૂરિયાત અને ઇચ્છિત વચ્ચેનો તફાવત ભૂલી જઇએ છીએ. એક સામાન્ય સમસ્યા જેનો આપણે બધા સામનો કરીએ છીએ આપણે જે કરીએ તે બધાને ગમે. આપણે બધા સારા સમજે તેવું ઈચ્છીએ છીએ. લોકો આપણા વિશે શું વિચારે છે તે મહત્વનું છે. તેથી, આપણે આપણી જાતને સારા બનાવવાની કોશિશ કરીએ છે પરંતુ કોઈ વાર તે આપણા પતનનું કારણ બને છે.
વાર્તામાં આવેલા માસ્ટરની જેમ, સૌથી અગત્યનું ધ્યાન દોર્યું, ‘પાણીની જેમ વહેવું’ કરવાનો પ્રયાસ કરો.
પાણી શક્તિશાળી છે, તે નરમ અને નમ્ર હોઈ શકે છે અને ખડક જેવી કિનારીઓ હોવા છતાં તે વહેવાનું કામ કરે છે. જેમ પાણી કોઈ પણ દરિયાકાંઠેથી અને મોટા પથ્થરોથી અથડાઈને પણ વહી શકે છે, તેવી જ રીતે આપણે કોઈ પણ પડકારજનક પરિસ્થિતિ જોવામાં સમક્ષ રજુ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને હજી આગળ જવાનો માર્ગ બનાવવો જોઈએ. જેમ કે માસ્ટર દ્વારા પાણીની શક્તિ દર્શાવવામાં આવી છે, અને વસ્તુઓ આપણા માટે સરળતાથી કામ કરી શકે છે. પાણી પોતાનું સ્તર સુમેળ કરે છે એવીજ રીતે આપણે પણ, શાંત રહેવા માટે, અંદરથી સુમેળ કરવાની જરૂર છે. જ્યારે આપણે શાંત હોઈએ છીએ, ત્યારે આપણે કોઈપણ બાહ્ય વિક્ષેપોને અવરોધિત કરી શકીએ છીએ.
બાહ્ય સંજોગોથી આપણા પર અસર ન આવે તેની કવાયતો:
1. તમારા પર ધ્યાન કેન્દ્રિત કરો અને થોડીવાર માટે દરેકને અને તમારી આસપાસની દરેક વસ્તુને ભૂલી જવાનો પ્રયાસ કરો. કલ્પના કરો કે તમે તે સ્થિતિમાં એકલા છો અને તે જ બાબતો છે.
2. હવે ફક્ત તમારા ધ્યેય પર આગળ ધ્યાન કેન્દ્રિત કરો.
3. પરિસ્થિતિનો અંત અને તમારી સફળ વિજયની કલ્પના કરો. તમે આ માટે શું કરી રહ્યા છો? તમારે શું લેવાનું છે?
4. તમારી જાતની તુલના અન્ય લોકો સાથે કરવાનું બંધ કરો. તમારી પોતાની તુલના તમારા પોતાના પાછલા સ્વ સાથે કરો.
5. જાણો અને માનો કે કોઈ પણ સંપૂર્ણ નથી. ભૂલો કરવી તે બરાબર છે અને જે આપણને બધાને માણસ બનાવે છે અને આપણને પોતાને વધુ સારૂં પુરવાર કરવાની તક પૂરી પાડે છે.

આત્મવિશ્વાસ ઉત્તેજીત કરવો:
1. યાદ રાખો કે તે તેમના વિશે નથી પરંતુ તમારા વિશે છે.
2. તમારા જીવનમાં જે થાય છે તે માટે જવાબદારીઓ લો – બધી સફળતા અને નિષ્ફળતા.
3. તમે પડો તે સારી વાત છે ફરી ઉઠો.
4. તમારી જાત સાથે વાત કરો. તમારી જાતને પ્રોત્સાહિત કરો.
5. સૌથી અગત્યનું, તમારામાં આત્મગૌરવને રાખો. પોતાને સહિત કોઈને પણ ખોટી રીતે નીચે નહી પાડો. ભૂલો એ તમારૂં ભણતરનું ક્ષેત્ર છે, પોતાને હરાવવાનું બહાનું નહીં!

About - કેશ્મીરા શૉ રાજ

Leave a Reply

*