ઓમિમ માનેકશા દેબારાએ કરેલી અરજીના આધારે, તેલંગના રાજ્ય લઘુમતી પંચ (ટીએસએમસી) એ નિઝામાબાદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસને નિઝામાબાદ જિલ્લા, કાંટેશ્વર ગામમાં સ્થિત પારસી આરામ ઘરના કથિત અતિક્રમણ અંગે વિગતવાર અહેવાલ દાખલ કરવા માટે એક મહિનાની મંજૂરી આપી છે.
અરજી મુજબ, 1 એકર અને 39 ગુંટામાં ફેલાયેલ પારસી આરામ ઘર પર અતિક્રમણ કરવામાં આવી રહ્યું હતું, અને કથિત અતિક્રમણ કરનારાઓ દ્વારા મિલકતની અંદર અને તેની આસપાસ ખોદકામ કરવામાં આવી રહ્યું હતું.
અધ્યક્ષ મોહમ્મદ કમરૂદ્દીનની અધ્યક્ષતામાં ટીએસએમસીની વિશેષ સુનાવણી, વાઇસ ચેરમેન શંકર લ્યુક અને સભ્યો ગુસ્તી નોરીયા, ટી ગોપાલ રાવ અને સૈયદ રહીમની હાજરીમાં બોલાવવામાં આવી હતી. નિઝામાબાદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે આ મુદ્દે વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે એક મહિનાનો સમય માંગ્યો છે. સમાચારના અહેવાલો મુજબ, અધિકારીઓએ જણાવ્યું હતું કે પારસી આરામ ઘરની મિલકત પર ખાનગી કંપનીએ સાઇનબોર્ડ ઉભું કર્યું હતું તે ભૂલથી હતું. નિઝામાબાદ પોલીસે ટીએસએમસીને ખાતરી આપી છે કે તેમના ચાલુ રહેલી પ્રવૃતિને રોકવા માટે તેમના કર્મચારીઓ નજીકથી નિરીક્ષણ કરશે.
જિલ્લા વહીવટીતંત્રને 12 ડિસેમ્બર, 2020 ના રોજ અથવા તે પહેલાં એક વાસ્તવિક અહેવાલ રજૂ કરવા કહેવામાં આવ્યું છે.
- હોળી રંગોનો તહેવાર… આખરે આ રંગો આવ્યા કયાંથી? - 23 March2024
- નવસારીમાં ટાટા ફાઉન્ડર્સ ડેની ઉજવણી કરવામાં આવી - 23 March2024
- સેન્ટર ફોર અવેસ્તા-પહલવી સ્ટડીઝમુંબઈ યુનિવર્સિટી ખાતે શરૂ કરવામાં આવ્યું - 23 March2024