પારસી કોવિડ પીડિતોની દોખ્મેનશીની માટે અમદાવાદના દોખ્મા પર સ્ટીલ વાયર નેટ ફીટ કરવામાં આવી

ભારતની માનનીય સર્વોચ્ચ અદાલતે કોવિડ 19નો ભોગ બનેલા મૃત પારસીઓ માટે દોખ્મેનશીની પ્રથા હાથ ધરવાની મંજૂરી આપી છે, આ શરતે કે તેઓને અલગ દોખ્મામાં રાખવામાં આવે દોખ્માને પક્ષીઓની જાળીથી ઢાંકવામાં આવે જેનાથી પક્ષીઓ અંદર ન જઈ શકે અને અવશેષોને ખુલ્લી જગ્યામાં ફેલાવે નહીં.
ઉપરોક્ત દિશાનિર્દેશોને ધ્યાનમાં રાખીને, અમદાવાદ પારસી પંચાયત (એપીપી) એ અમદાવાદના જશોદાનગર ખાતે સ્થિત ડુંગરવાડી ખાતે તેના એક દોખ્મા પર સ્ટીલ વાયરની જાળી લગાવવાનું મુશ્કેલ કાર્ય પાર પાડયું. જેઓ કોવિડ-19નો ભોગ બન્યા તે લોકો માટે આ દોખ્મું પારસીઓની દોખ્મેનશીની માટે નિર્ધારિત કરવામાં આવ્યું છે.
બોમી મિસ્ત્રી અને તેમની ટીમ (જેમાં સાયરસ બચા, નોઝર સુતરીયા, ખુશરૂ ભરૂચા, બુરઝીન માંડવીવાલા, સરોષ ગાંધી, વૈશ ભોપતી અને અર્દાવિરાફ કારભારીનો સમાવેશ થાય છે) ના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકોની એક મહેનતુ ટીમ (મુખ્યત્વે મુંબઈથી) દ્વારા આ કપરું કાર્ય પાર પાડવામાં આવ્યું હતું. આ ટીમે એક અઠવાડિયા સુધી દિવસભર લાંબા કલાકો કામ કર્યું હતું. સખત ગરમીની સ્થિતિમાં, 15 ફૂટની સીડી ઉપર, તેમના દ્વારા નિર્ધારિત સમયની અંદર કામ કરવામાં આવ્યું હતું, આમ પ્રશંસનીય સમુદાય સેવા પ્રદાન કરવામાં આવી હતી. બ્રિગેડ. (નિવૃત્ત) જહાંગીર પી. અંકલેસરિયા, એપીપીના વીએસએમ પ્રમુખ ટ્રસ્ટી, સમિતિના સભ્યો – હોશંગ કરંજિયા અને સરોષ કરકરીયા અને તમામ નસેસલારો (પોલ-બેરર્સ) પણ સવારથી સાંજ સુધી સમગ્ર પ્રોજેક્ટ માટે સમર્પિત હતા.
આવી જ કામગીરી અગાઉ મુંબઈ અને સુરતના દોખ્માઓમાં પણ હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

*