સંજાણ ડેની 102મી શુભ સાલગ્રેહની ઉજવણી

સંજાણ ડે દર વર્ષે આપણા પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતાના દિવસ તરીકે અને સ્થાનિક શાસકો દ્વારા સ્વીકારવામાં આવે છે તે માટે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જરથોસ્તીઓ મુખ્યત્વે મુંબઈ અને ગુજરાતમાંથી, સડક અને રેલ માર્ગે, સંજાણ ડેના પ્રસંગની ઉજવણી કરવા સારી સંખ્યામાં આવે છે. આ વર્ષે સંજાણના સ્થંભની 102મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. દિવસની શરૂઆત સવારે 9:30 વાગ્યે ઉદવાડા અને સંજાણના ચાર મોબેદો દ્વારા કરવામાં આવેલ જશન સમારોહથી કરવામાં આવી હતી. હમબંદગીની આગેવાની ઉદવાડાના એરવદ કેરસાસ્પ સિધવા દ્વારા કરવામાં આવી હતી.
મુખ્ય સેલિબ્રેશન ફંક્શનની શરૂઆત પરીચેર દવિએરવાલા અને ફેમીલીએ સ્ટેજ પર મહેમાનોના પરિચય સાથે કરી હતી, જેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. સંજાણ મેમોરિયલ કોલમ સ્થાનિક સમિતિના પ્રેસિડન્ટ બેપ્સી રોહિન્ટન દવિએરવાલાએ સ્ટેજ પર ઉપસ્થિત લોકો અને મહેમાનોનું સ્વાગત કર્યું. કર્નલ કૈઝાદ ભાયાએ પૈસાની સરખામણીમાં સમયનું મહત્વ નક્કી કરવા પર એક રસપ્રદ નિર્ણય શેર કર્યો. તેમણે બંનેનું મહત્વ સમજાવ્યું. તેમણે આશા વ્યક્ત કરી કે માતા-પિતા તેમના બાળકોને પણ સંજાણ ડેની ઉજવણી માટે હાજર રહેવા અને જરથોસ્તીઓ દરેક ક્ષેત્રમાં કેવી રીતે ઉત્કૃષ્ટ છે તેનો ગર્વ લેવા માટે પ્રેરિત કરી શકશે. પરિચેર દવિએરવાલાએ સમુદાય, મુલાકાતીઓ અને ખાસ કરીને દાતાઓનો અને દર વર્ષે આ કાર્યક્રમને શક્ય બનાવવા મદદ કરનાર તમામ લોકોનો આભાર માન્યો હતો. પારસી રાષ્ટ્રગીત, છૈએ હમે જરથોસ્તી અને રાષ્ટ્રગીતના પ્રસ્તુતિ સાથે ફંક્શનનું સમાપન થયું, ત્યારબાદ બપોરનું ભોજન પીરસવામાં આવ્યું.

Leave a Reply

*