વજન ઓછું કરવું છે? અજમાવો આ ટિપ્સ અને મેળવો સફળતા

જો ખરેખર તમે વજન ઘટાડવા માંગતા જ હોવ તો તેના માટે યોગ્ય ખાન-પાન સાથે યોગ્ય ડાયેટ અને વ્યાયામ ખુબ જ જરૂરી છે. આજે ઘણા લોકો વજન ઘટાડવાની લોભામણી જાહેરાતો કરે છે. પરંતુ વજન ઘટાડવા માટે ચોક્કસ સમય લાગે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ વર્ક ફ્રોમ હોમનું પણ ચલણ વધ્યું છે. ઘરે જ રહેવાના કારણે વજન પણ રોકેટગતિથી વધતું જઈ રહ્યું હોવાની પણ ઘણી જ ફરિયાદો ઉઠી રહી છે. વર્ક ફ્રોમ હોમ અને ટેક્નોલોજીના પગપેસારાના કારણે લોકોનું જીવન પણ બેઠાડું થઈ રહ્યું છે. જેથી વજન પણ વધી રહ્યું છે. પરંતુ વજન ઉતારવાની યોગ્ય રીત કઈ છે? શું તેના માટે વહેલી સવારે ઉઠીને જીમ જવું જોઈએ કે પછી યોગ્ય ડાયેટની મદદથી જ વજન ઘટી શકે છે?
ગરમ અને હૂંફાળું પાણી પીવો: આયુર્વેદમાં એ જણાવવામાં આવ્યું છે કે હંમેશા ગરમ અને હૂંફાળું પાણી પીવું ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ગરમ પાણીને આયુર્વેદમાં અક્સીર ઈલાજ ગણવામાં આવ્યો છે. જે તમારા શરીરમાં રહેલા દરેક હાનિકારક તત્વોને નાશ કરવામાં મદદરુપ થાય છે.

પૂરતી ઉંઘ લેવી: વજન ઘટાડવા માટે તેમજ વજન વધારવા માટે પણ કેટલીક યોગ્ય રીત હોય છે. ફ્રેશ લાગવા માટે એક સારી અને પર્યાપ્ત સમયની ઉંઘ પૂરતી હોય છે. આ કારણે જ રાતે 10.00 કલાકથી લઈને સવારે 6.00 કલાક સુધી સૂવા માટેનો સૌથી યોગ્ય સમય છે. જો પૂરતી ઉંઘ નહીં લો તો માનસિક અને શારીરિક થાક પણ લાગશે.

રાતે હળવો ખોરાક: દિવસે ભલે ભારે ખોરાક લો તે પચવામાં સરળ રહે છે કારણકે આખો દિવસ દોડધામ કરવી પડે છે જેથી પાચનતંત્ર પણ વ્યવસ્થિત મહેનત કરે છે. રાતે ડિનરમાં હળવો ખોરાક જ પસંદ કરવો જોઈએ. જેનાથી પાચનતંત્રને પણ ઓછી મહેનત કરવી પડશે અને સારી ઊંઘ આવશે.

ટુકડે ટુકડે આરોગવાનું રાખો: શારીરિક ઉર્જા માટે શરીરને નિયમિત અંતરે ખોરાક આપતા રહો. હંમેશા એક જ સમયે ભરપેટ ભોજન જમવાનું ટાળો. દિવસમાં ત્રણ વાર નિયમિત અંતરે ભોજન લેવાનું નક્કી કરો. સમયાંતરે ટુકડે ટુકડે અને હળવું ભોજન લેવાથી શરીરને યોગ્ય પોષણ તેમજ ઉર્જા પણ મળતી રહેશે.

ભોજન કરી ચાલવાની ટેવ: શારીરિક રીતે એક્ટિવ હોવું એ દરેક મનુષ્ય માટે મહત્વનું છે. જો તમે જિમમાં ન જઈ શકો તો સામાન્ય રીતે રોજ થોડું-થોડું ચાલવાનું રાખો. તમારા દૈનિક રુટિનમાં રોજ 10-20 મિનિટ સુધી ચાલવાનું રાખો. આ તમારા મેટાબોલિઝમને વધારવામાં મદદ કરશે અને ભૂખ પણ વધારશે તેમજ તમને હળવાશ લાગશે.
સિઝનલ ભોજન લેવું: હંમેશા સિઝન અનુસાર જ યોગ્ય ભોજન લેવું જોઈએ. સિઝન અનુસાર એટલે કે ઉનાળામાં શરીર ઠંડુ રહે તે અનુસાર અને શિયાળામાં શરીર ગરમ રહે તે અનુસાર ભોજન લેવું હિતાવહ છે. આયુર્વેદમાં સ્વાદના આધારે ભોજનના છ પ્રકાર પાડવામાં આવ્યા છે. ખાટો, તીખો, તૂરો, મીઠો, કડવો, ખારો. જેથી મહત્વનું છે તમામ પ્રકારના રસનું તમારા ભોજનમાં મિશ્રણ કરેલું હોય. વધુ પ્રમાણમાં ખાંડ અને મીઠું એટલે કે ખારાશ તેમજ મીઠાશ તમારા શરીરમાં રોગનું કારણ બની શકે છે.

તમારા ખોરાકમાં ઔષધિનું પ્રમાણ: તમારા ખોરાકમાં હળદર, આદુ, અશ્વગંધા, ગૂગળ, ત્રિફળા અને તજ તેમજ લવિંગ જેવી ઘરમાં જ રહેલી ઔષધિનું પ્રમાણ વધારતા જાઓ. આમ કરવાથી પણ તમારા વજનમાં ઘણો જ ફરક જોવા મળશે.

Leave a Reply

*