બરજોર મહેતા સીઈપીટી યુનિવર્સિટી, અમદાવાદ ખાતે પ્રમુખ તરીકે નિયુક્ત

8મી મે, 2023ના રોજ, અમદાવાદ સ્થિત આર્કિટેકચર અને પ્લાનિંગ સંસ્થા, સીઈપીટી યુનિવર્સિટીએ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આયોજન શાળાના ભૂતપૂર્વ નિયામક, બરજોર મહેતાની 20 જાન્યુઆરી, 2024 થી શરૂ થતા પાંચ વર્ષની મુદત માટે નવા પ્રમુખ અને કાર્યકારી નિર્દેશક તરીકેની તેમની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી.
બરજોર મહેતા – એક આર્કિટેકટ અને શહેરી આયોજક, સિંગાપોરમાં સ્થિત પૂર્વ એશિયા અને પેસિફિક ક્ષેત્ર માટે વિશ્ર્વ બેંકના અગ્રણી શહેરી નિષ્ણાત છે. આ પહેલા, તેઓ ચીન (2016-2020), ભારત (2012-2016), અને તાંઝાનિયા (2009-2012)માં વિશ્ર્વ બેંકની દેશની કચેરીઓમાં હતા. 2002 અને 2009 ની વચ્ચે, તેઓ વોશિંગ્ટન ડીસીમાં હતા જ્યાં તેમણે પૂર્વ અને દક્ષિણ આફ્રિકા, દક્ષિણ એશિયા તેમજ મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં શહેરી વિકાસ પહેલ પર કામ કર્યું હતું.
ગવર્નિંગ બોડીના ચેરપર્સન સંજય લાલભાઈએ મહેતાનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, શહેરી આયોજન અને વિકાસમાં વૈશ્ર્વિક અનુભવ ધરાવતા એક સફળ વ્યાવસાયિક તરીકે, મને વિશ્વાસ છે કે તેઓ વારસાને આગળ ધપાવશે અને સંસ્થાને નવી ક્ષિતિજો તરફ દોરી જશે.
મહેતા અગાઉ અર્બન પ્લાનિંગના એસોસિયેટ પ્રોફેસર (1990-1995) અને સ્કૂલ ઓફ પ્લાનિંગ, સીઈપીટી (1995-1997)ના ડિરેકટર તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે સ્કૂલ ઓફ આર્કિટેકચર, સીઈપીટીમાંથી આર્કિટેકચરમાં ડિપ્લોમા અને એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, બેંગકોકમાંથી માનવ વસાહત આયોજનમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે.

Leave a Reply

*