હૈદરાબાદની પ્રસિદ્ધ બાઈ માણેકબાઈ નસરવાનજી ચીનોય દરેમેહર અભૂતપૂર્વ ગટર બ્લોકેજ કટોકટીનો સામનો કરી રહી છે, કારણ કે એક સદી પહેલા નાખવામાં આવેલી મૂળ ગટર લાઇનને તેની કમ્પાઉન્ડ વોલ શેર કરતી રેસ્ટોરન્ટ દ્વારા ગેરકાયદેસર રીતે અવરોધિત કરવામાં આવી છે.
ઓક્ટોબર 16, 1904માં બનેલ, તિલક રોડ પર આવેલું 119 વર્ષ જૂનું અગિયારી સંકુલ, લગભગ 45 પારસી પરિવારોનું ઘર છે. પરંતુ માર્ચ 2022થી, ગટરના મુદ્દાઓને કારણે શાંતિ ખોરવાઈ ગઈ છે કારણ કે રહેવાસીઓ અસ્વચ્છ દૂષણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે અને જેનો તેઓ બળપૂર્વક ભોગ બન્યા છે.
રેસ્ટોરન્ટ (સંતોષ ધાબા) કે જેણે 20 વર્ષ પહેલાં દુકાન બનાવી હતી, તેના કારણે આખી વસાહતમાં ગટરનું પાણી ભરાઈ ગયું છે, જેના કારણે રહેવાસીઓ માટે આરોગ્યની તકલીફ ઊભી થઈ છે અને આ પવિત્ર સ્થળની શાંતિને દૂષિત કરી રહી છે. પવિત્ર કૂવાના પાણીને દૂષિત કરીને ગંદા પાણી તેમના ઘરોમાં ભરાઈ જવાને કારણે ગટરની સમસ્યા રહેવાસીઓ માટે દુ:સ્વપ્ન બની ગઈ છે. પીવાના પાણીના પુરવઠાના આ દૂષિતતાને કારણે, રહેવાસીઓને બોટલનું પાણી ખરીદવાની ફરજ પડી રહી છે.
બાઈ માણેકબાઈ નસરવાનજી ચીનોય દરેમહેરના રહેવાસીઓ અને સંરક્ષકોએ આ પવિત્ર જગ્યાની પવિત્રતા પુન:સ્થાપિત કરવા માટે ઝડપી ઉકેલ લાવવા અપીલ કરી છે. આપણી શ્રદ્ધા અને આપણો વારસો બંનેના આદરમાં રાજ્યના સત્તાવાળાઓ દરમિયાનગીરી કરે અને અગિયારીની પવિત્રતાને સુરક્ષિત કરે તે મહત્ત્વનું છે.
- જરથોસ્તી ધર્મના ઉપદેશો સાથે સુસંગત દૈનિક આદતો - 18 July2026
- શયાન બિસ્નેનું બંધારણને અર્પિત સંશોધન પારસી સમાજના ગૌરવશાળી વારસાને ઉજાગર કરે છે - 18 July2026
- જમશીદ મરોલિયાને પીએચ.ડી.ની પદવી એનાયત - 18 July2026
