22મી માર્ચ, 2024ના રોજ થાણેના પારસીઓએ પટેલ અગિયારી કમ્પાઉન્ડમાં પવિત્ર કુવાને ફુલો દ્વારા શણગારવામાં આવ્યો હતો. શુભ અર્દાવિસુર બાનુનુ પરબની યાદમાં અગિયારી ખાતે સાંજે 5:00 વાગ્યે એરવદ કેરસી સિધવાના નેતૃત્વ હેઠળ જશનની પવિત્ર ક્રિયા અને ત્યારબાદ કુવા પાસે હમબંદગી કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌને ચાસણી અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પારસીઓએ આ દિવસે યોગદાન આપવા બદલ એકબીજાનો આભાર માન્યો હતો અને ફરીદા દારૂવાલાએ તેમના મરહુમ ધણી કેરસીને તેમની વાર્ષિક પહેલ ચાલુ રાખીને અને થાણાના પારસીઓને દર વર્ષે એક સાથે આવવા અને આ શુભ દિવસની ઉજવણી કરવાની બીજી તક પૂરી પાડવા બદલ તમામનો આભાર માન્યો હતો. આ વર્ષે થાણા પટેલ અગિયારીના પવિત્ર કુવા ખાતે જશન અને હમબંદગી સાથે આ દિવસની ઉજવણીનું સતત 18મું વર્ષ ચિહ્નિત થયું, જે મરહુમ કેરસી દારૂવાલાએ હાથ ધરેલ પહેલ છે.
Latest posts by PT Reporter (see all)
- શ્રદ્ધાનો અમલ: કિશોર મોબેદની સેવા યાત્રા - 24 January2026
- સુરતી સ્કેચર્સ દ્વારા નવસારીના પારસી વારસાની ઉજવણી: પારસીવાડા હેરિટેજ વોક - 24 January2026
- ઝેડસીબીએલને પ્રતિષ્ઠિત આઈબીએ ટેક્નોલોજી સિટેશન પુરસ્કાર - 24 January2026
