સમયાતીત મોનાજાતને નવી જાન – કૈઝાદ પટેલ દ્વારા પુનજીવિત

ગૌરવપૂર્ણ ધાર્મિક મોનાજાત નબીઓ ના નબી અમાર, જે મૂળ મરહુમ દારા પ્રિન્ટરે રચ્યું હતું, હવે ગાયક-સંગીતકાર કૈઝાદ પટેલની નવી રજૂઆતથી ફરી પ્રકાશમાં આવ્યું છે. ભાવસભર ભક્તિગીતો માટે જાણીતા કૈઝાદે પરંપરાગત આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતને સુંદર રીતે સમાવી, આજની પેઢીને જરથોસ્તી પ્રાર્થના વારસાથી ફરી જોડવાનો પ્રયત્ન કર્યો છે.
સંગત વિડિયોમાં એઆઈ-આધારિત ગતિશીલ ગ્રાફિક્સનો પ્રથમવાર સર્જનાત્મક ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં પ્રોફેટ જરથુસ્ત્રના જીવન અને ઉપદેશોને મનોહર રીતે દર્શાવવામાં આવ્યા છે, જે યુવા દર્શકો માટે શિક્ષણાત્મક અને આકર્ષક બને છે. રિલીઝને ઉત્કૃષ્ટ પ્રતિસાદ મળ્યો, 24 કલાકમાં જ કૈઝાદના યૂટ્યુબ ચેનલ બોમ્બેસરગમ પર 10,000થી વધુ વ્યૂઝ મેળવી, તથા સોશિયલ મિડિયામાં વ્યાપક પ્રશંસા પ્રાપ્ત કરી.
પારસી ટાઈમ્સ સાથે વાત કરતાં કૈઝાદે જણાવ્યું કે બાળપણમાં દાદા સાથે સાંભળેલી આ મોનાજાતની યાદે તેમને તેને પુન:રચવા પ્રેર્યા, જેથી જરથોસ્તી સંસ્કૃતિ, મૂલ્યો અને પરંપરાઓ જીવંત અને સૌ માટે સુલભ રહે. જુલાઈ 2025માં તેમને 1,00,000 સબ્સક્રાઈબર પાર કરતા યુટયુબનો સિલ્વર ક્રિએટર એવોર્ડ મળ્યો હતો.

Leave a Reply

*