6ઠ્ઠી એપ્રિલ, 2026ના રોજ ભારતે વૈજ્ઞાનિક ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી, જ્યારે કલ્પક્કમ ખાતેનો પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર (પીએફબીઆર) ક્રિટિકલિટી પર પહોંચ્યો. આ સિદ્ધિ દેશના લાંબા ગાળાના પરમાણુ કાર્યક્રમમાં એક મોટું પગલું સાબિત થઈ છે. વધુ ઈંધણ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો આ આધુનિક રિએક્ટર ભારતને વ્યાપારી સ્તરે ફાસ્ટ બ્રીડર ટેક્નોલોજી ધરાવતા થોડા દેશોમાં સ્થાન આપે છે.
આ સિદ્ધિ 1954માં ડો. હોમિ જહાંગીર ભાભા દ્વારા કલ્પાયેલ દ્રષ્ટિપૂર્ણ યોજનાનું સાકાર રૂપ છે. તે સમયે ભારત પાસે યુરેનિયમના મર્યાદિત ભંડાર હતા, ત્યારે ભાભાએ ત્રણ તબક્કાની પરમાણુ યોજના રજૂ કરી હતી, જે અંતે દેશમાં પ્રચુર પ્રમાણમાં ઉપલબ્ધ થોરીયમનો ઉપયોગ શક્ય બનાવે. હાલ કાર્યરત બીજા તબક્કામાં પ્લૂટોનિયમનો ઉપયોગ કરીને વધુ ઈંધણ ઉત્પન્ન કરવામાં આવે છે અને થોરીયમને ઉપયોગી ફિશાઇલ પદાર્થમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જે લાંબા ગાળાની ટકાઉતા સુનિશ્ચિત કરે છે.
આ વિકાસ આજના વૈશ્વિક પરિસ્થિતિમાં વિશેષ મહત્વ ધરાવે છે, જ્યાં ઊર્જા સુરક્ષા અને વ્યૂહાત્મક શક્તિ પ્રાથમિકતા બની છે. વધતી ભૂરાજકીય તણાવ અને ઈંધણ પુરવઠાની અનિશ્ચિતતા વચ્ચે, દેશો સ્વાવલંબન અને ટકાઉ ઊર્જા સ્ત્રોતો તરફ આગળ વધી રહ્યા છે. ભારતની પરમાણુ ક્ષમતામાં થયેલો વિકાસ તેને વૈશ્વિક સ્તરે મજબૂત અને સ્વતંત્ર દેશ તરીકે સ્થાપિત કરે છે.
પારસી સમુદાય માટે આ સિદ્ધિ ગૌરવપૂર્ણ છે, કારણ કે તે હોમિ ભાભાની અવિસ્મરણીય વારસાને પ્રતિબિંબિત કરે છે. એક અગ્રણી વૈજ્ઞાનિક અને રાષ્ટ્ર નિર્માતા તરીકે તેમની દ્રષ્ટિ અને પ્રતિબદ્ધતા આજે પણ ભારતના વૈજ્ઞાનિક વિકાસને દિશા આપે છે. થોરીયમના ઉપયોગ તરફ ભારત આગળ વધી રહ્યું છે ત્યારે આ સિદ્ધિ ટકાઉ ઊર્જા અને રાષ્ટ્રીય સ્વાવલંબનની નવી શરૂઆત દર્શાવે છે.
- લીંબુ તમને એસિડિટીથી રાહત આપી શકે છે - 16 May2026
- જરથોસ્તનો દિસો - 16 May2026
- કોઈના માથે વિલનનું લેબલ ચિટકાડતા પહેલા વિચારીએ.. - 16 May2026
