સુનાવાલા અગિયારીનો 113મો સાલગે્રહ ભક્તિપૂર્વક ઉજવાયો

માહિમ સ્થિત સેઠ એદલજી રૂસ્તમજી સુનાવાલા અગિયારીનો 113મો સાલગે્રહ 28મી એપ્રિલ, 2026ના રોજ ખૂબ જ ભક્તિભાવ સાથે ઉજવાયો. તીવ્ર ગરમી હોવા છતાં, દિવસભર મોટી સંખ્યામાં સમુદાયના સભ્યોએ હાજરી આપી અને આ પવિત્ર પ્રસંગને શ્રદ્ધાપૂર્વક નિભાવ્યો.
સાંજના સમયે પંથકી એર. કેરસાસ્પ સિધવાના માર્ગદર્શન હેઠળ 14 મોબેદોની ટીમ દ્વારા જશનવિધિ સંપન્ન કરવામાં આવી. આ પ્રસંગનું વિશેષ આકર્ષણ તાજેતરમાં નિયુક્ત થયેલા નાવરો મીખીલ ભરૂચા, જીયાન દસ્તુર, ઝાવી દસ્તુર અને અનોશ મુલ્લા–ની હાજરી હતી, જેમણે ભક્તિપૂર્વક પ્રાર્થનાઓમાં ભાગ લીધો અને પરંપરાની સતતતા દર્શાવી.
ત્યારબાદ સભાસદોએ હમબંદગીની પ્રાર્થનર એકસાથે કરી. ત્યાર પછી ચાસણી અને હલકા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી, જેનાથી ભક્તોને પરસ્પર મળવાની અને પ્રસંગની આનંદમય ક્ષણો વહેંચવાની તક મળી. વિધિઓનો સમાપન અવિશુથે્રમ ગેહમાં માચી સાથે થયો, જે એર. હોરમઝદ બલસારા દ્વારા સંપન્ન કરવામાં આવી અને દિવસને આધ્યાત્મિક રીતે પૂર્ણતા આપી.
સુનાવાલા અગિયારીના ટ્રસ્ટીઓએ સમાજના સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો, ખાસ કરીને કાઠી અને અગિયારીની જાળવણી માટે મળતા સતત સહકાર માટે, જે આ પવિત્ર સ્થાને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ છે.

Leave a Reply

*