હયુજીસ રોડની વાચ્છાગાંધી અગિયારીની 161મી સાલગ્રેહની ઉજવણી

તા. 31મી ડિસેમ્બર, સરોષ રોજના દિવસે વાચ્છા ગાંધી અગિયારીની સાલગ્રેહનો શુભ પ્રસંગ ઉજવાયો હતો. સવારે હાવનગેહમાં માચી બાદ 9.30 કલાકે ટ્રસ્ટી સાહેબો તરફથી શુક્રગુજારીના જશનની ક્રિયા પંથકી અસ્ફંદીયાર રૂ. દાદાચાન્જી અને બેટા હોરમઝદની આગેવાની હેઠળ 11 મોબેદોની હમશરીકીથી થયું હતું. ઘણી સારી સંખ્યામાં હમદીનો અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. જશનબાદ સર્વેએ હમ-બદંગી કરી હતી. સાંજે […]