નવા વરસિયાજીનું દાદીશેઠ આતશ બહેરામમાં સ્વાગત

26મી નવેમ્બર, 2023ના રોજ, મુંબઈના કાલબાદેવી (ફણસવાડી) ખાતે આવેલા પવિત્ર દાદીસેઠ આતશ બહેરામમાં સમુદાયના સભ્યોએ નવા વરસિયાજીનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું. પૌરૂસ્પા નામના વરસિયાજી (આલ્બીના બળદ વાછરડું)ને કર્જતના એક ખેતરમાંથી લાવવામાં આવ્યો હતો. પવિત્રતા અને એકાંતની પવિત્ર આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને આતશ બહેરામ પરિસરમાં એક યોગ્ય ગૌશાળા તેમના માટે વિશિષ્ટ રીતે આરક્ષિત રાખવામાં આવી છે. વરસિયાજીની સતત […]