ફરોખ એન્જિનિયરને બીસીસીઆઈ દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

23મી જાન્યુઆરી, 2024ના રોજ હૈદરાબાદમાં આયોજિત બીસીસીઆઈ (ભારતમાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) પુરસ્કારોની તાજેતરની આવૃત્તિની ઉજવણી કરતા એક ભવ્ય સમારંભમાં, યુકે સ્થિત, સુપ્રસિદ્ધ પારસી ક્રિકેટર, 85 વર્ષીય ભૂતપૂર્વ વિકેટકીપર-કમ-બેટસમેન (1060એસ – 70એસ), ફરોખ એન્જિનિયરને નમન એવોડર્સ દરમિયાન, બીસીસીઆઈ પ્રમુખ – રોજર બિન્ની અને બીસીસીઆઈ સેક્રેટરી, જય શાહ દ્વારા પ્રતિષ્ઠિત કર્નલ સી કે નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ (2019-20) થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બેટ સાથેની તેમની કુશળતા અને સ્ટમ્પ પાછળની તેમની ચપળતા બંને માટે જાણીતા એવા ફરોખ એન્જિનિયરની કારકિર્દી ભારત માટે 46 ટેસ્ટ મેચોમાં ફેલાયેલી હતી, જેમાં 2,611 રનનો સમાવેશ થાય છે, જેમાં 2 સેન્ચુરી અને 16 અડધી સેન્ચુરીનો સમાવેશ થાય છે. પારસી ટાઈમ્સ સાથેના મહત્વપૂર્ણ પ્રસંગ પર બોલતા, ફરોખ એન્જિનિયરે શેર કર્યું કે મને યુએસએ અને ઈંગ્લેન્ડમાં સન્માનિત કરવામાં આવ્યા હતા, પરંતુ અહીં ભારતમાં જ્યાં અર્જુન એવોર્ડ અને પદ્મશ્રી પ્રાપ્ત કર્યા પછી – મારા પોતાના દેશમાં આ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત કરવો જે સૌથી ટોચ પર છે તે મારા માટે એક મોટી સન્માનની વાત છે.
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, તેણે લગભગ પાંચ દાયકા પહેલા યુકેમાં સ્થાયી થવાનું પસંદ કરતા પહેલા કાઉન્ટી ક્રિકેટમાં લેન્કેશાયર સાથે રમવાનું ચાલુ રાખ્યું.સિકંદરાબાદ-હૈદરાબાદ (પીઝેડએએસએચ) ના પારસી ઝોરાસ્ટ્રિયન અંજુમને પણ 24મી જાન્યુઆરી, 2024 ના રોજ, પારસી ધર્મશાળા – પેરેડાઈઝ ખાતે ફરોખ એન્જિનિયરને સન્માનિત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
સમુદાયને હૃદયપૂર્વકનો સંદેશો શેર કરતાં, ફરોખ એન્જિનિયરે શેર કર્યું, હું ભારત અને વિશ્ર્વભરમાં અમારા સમુદાયના તમામ સભ્યોને તમે મને દાયકાઓથી જે સમર્થન અને પ્રેમ બતાવ્યો છે તે બદલ મારો તમામ પ્રેમ અને મારી ઊંડી કૃતજ્ઞતા મોકલવા ઈચ્છું છું અને હું તમારા સમર્થનની ખૂબ પ્રશંસા કરૂં છું અને મને પારસી હોવાનો ખૂબ જ ગર્વ છે!

Leave a Reply

*