સોડાવોટરવાલા અગિયારીએ 150મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી

મરીન લાઇન્સ ખાતે આવેલી મુંબઈની જેડી આમરીયા સોડાવોટરવાલા અગિયારીએ (રોજ ફરવરદીન, માહ ફરવરદીન) 2જી સપ્ટેમ્બર, 2024ના રોજ તેની 150 વર્ષના સાલગ્રેહની ભવ્ય ઉજવણી કરી. આ શુભ પ્રસંગના દિવસે બે જશન કરવામાં આવ્યા એક સવારે 10.00 વાગ્યે અને બીજો 5:30 વાગ્યે, જશનની પવિત્ર ક્રિયા પંથકી એરવદ પરવેઝ કરંજીયા દ્વારા કરવામાં આવી હતી. અગિયારીની શતાબ્દી પર્વની ઉજવણી કરવા સંખ્યાબંધ ભક્તો આવ્યા હતા.
અગિયારીએ બીજા દિવસે (રોજ બહેરામ – માહ ફરવરદીન) એક બીજા શુભ પ્રસંગે મહાન સંંત દસ્તુરજી કુકાદારૂ સાહેબની પુણ્યતિથિને દિને જશન સમારોહ કર્યો હતો અને પંથકી એરવદ પરવેઝ કરંજીયાએ આ જશન સમારોહનું નેતૃત્વ કરતા શેર કર્યું કે વિશ્વભરમાંથી જરથોસ્તી ભક્તો સોડાવોટરવાલા અગિયારીની મુલાકાત લઈ પાક દસ્તુરજી કુકાદારૂ સાહેબને પ્રાર્થના કરવા આવે છે કારણ કે તેઓ તમામ નિષ્ઠાવાન ઇચ્છાઓ પૂરી કરવા માટે જાણીતા છે.
આ શુભ અવસર પર પારસી ટાઈમ્સ સાથે વાત કરતા, સોડાવોટરવાલા અગિયારીના સમર્પિત ટ્રસ્ટી, અનાહિતા દેસાઈએ શેર કર્યું કે આપણી સોડાવોટરવાલા અગિયારીની મુલાકાત માટે સામાન્ય દિવસોમાં ઘણા ભક્તો આવતા નથી. હું ઈચ્છું છું કે લોકો સમજે કે આપણી અગિયારીમાં કરવામાં આવતી અસંખ્ય ધાર્મિક વિધિઓને કારણે તે દૈવી ઉર્જાથી ભરપૂર છે, અને તેથી તે પ્રાર્થના પાઠ કરવા માટે એક આદર્શ સ્થળ છે અને ભક્ત આપણા આતશ પાદશાહ સમક્ષ સમય પસાર કર્યા પછી હળવા મનથી લાભ મેળવે છે.
બુહારીવાલા પરિવાર તરફથી ઉદાર દાન, 2020 માં, અગિયારીની જર્જરિત અવસ્થાના નવીનીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સુધારેલી અગિયારીનું ઉદઘાટન 2022 માં કરવામાં આવ્યું હતું. 1874માં સ્થપાયેલ, સોડાવોટરવાલા અગિયારી એ હેરિટેજ-સૂચિબદ્ધ મિલકત છે – જે મુંબઈના શહેરી હેરિટેજ કાયદા હેઠળ ગ્રેડ 2નું માળખું છે – અને તે પરોપકારી આમરિયા પરિવાર દ્વારા બનાવવામાં આવી હતી, જેઓએ ઉદવાડામાં પણ સોડાવોટરવાલા ધર્મશાળાનું નિર્માણ જરથોસ્તી યાત્રાળુઓ માટે કર્યુ છે.

Leave a Reply

*