હાંસોટ તાલુકાના (ભરૂચ જિલ્લો, ગુજરાત રાજ્ય) ઇલાવ ગામમાં ઘન બહેરામ એદલજી પાલમકોટની માલિકીના 100 વર્ષ જૂના પારસી પેલેસમાં ચોરીની ઘટના બની હતી, જ્યાં લૂંટારુઓએ રૂા. 1.36 લાખની રોકડ અને ચાંદીના દાગીના ચોરી લીધા હતા. હાંસોટ પોલીસે આ કેસ નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે. પેલેસ છેલ્લા એક વર્ષથી ખાલી હતો.
મુંબઈ સ્થિત પાલમકોટના માલિકના છેલ્લે તેના ભાઈ ત્યાં રહેતા હતા ત્યારે મિલકતની મુલાકાત લીધી હતી. પરંતુ જ્યારે તે બીમાર પડ્યા ત્યારે તેમણે તેના ભાઈને મુંબઈમાં ખસેડયા હતા. જેના કારણે પેલેસ ખાલી થયો હતો. 29 જાન્યુઆરી, 2025 ના રોજ, પાલમકોટ ચાવીઓ લેવા માટે પેલેસની મુલાકાત લીધી પરંતુ દરવાજો ખોલતાં તેમને ખબર પડી કે ઘરની લૂંટફાટ થઈ ગઈ હતી, જેમાં કિંમતી વસ્તુઓ ગાયબ હતી. ચોરો પાછળની બારી તોડીને પેલેસમાં પ્રવેશ્યા હતા, જેમાં 20,000 રૂપિયાની રોકડ અને 1.36લાખ રૂપિયાના ચાંદીના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા.
હાંસોટ પોલીસ ગુનેગારોને ઓળખવા અને પકડવા માટે શક્ય પુરાવાઓની તપાસ કરી રહી છે.
- માહ બખ્તર – ચંદ્ર પર પ્રભુત્વ ધરાવતું દિવ્યત્વ - 1 March2025
- હાંસોટમાં 100 વર્ષ જૂનાપારસી પેલેસમાં લૂંટ - 1 March2025
- હૈદરાબાદની ચિનોય અગિયારીએ સાપ્તાહિક હમબંદગીના 19માં વર્ષની ઉજવણી કરી - 1 March2025