એમ.જે. વાડિયા અગિયારીએ 190મી સાલગ્રેહની કરેલી ભવ્ય ઉજવણી

મુંબઈના લાલબાગ ખાતે આવેલી એમ.જે. વાડિયા અગિયારીએ 30મી જૂન, 2024ના દિને (રોજ બહેરામ, માહ બહમન)190મી સાલગ્રેહ ખૂબ જ આનંદ અને સામુદાયિક એકતાની ભાવના વચ્ચે ભવ્ય રીતે ઉજવી. સાંજે 5:30 કલાકે, ભક્તોના વિશાળ મંડળની હાજરીમાં, પૂજ્ય આતશ પાદશાહને પ્રણામ કરી અગિયારીના પંથકી એરવદ કેરસી ભાધાની આગેવાની હેઠળ હમા અંજુમન જશન સાથે ઉજવણીની શરૂઆત થઈ. સમારોહમાં રોકસાન […]