23મી માર્ચ, 2023ના રોજ આવાં યઝદ પરબના શુભ અવસર પર નવસારી લોકમાતા પૂર્ણા નદીના કિનારે, સારી સંખ્યામાં પ્રકૃતિ-પૂજક પારસી જરથોસ્તી સમુદાયે નદીને તાજા ફૂલો, નારિયેળ અને શાશ્ર્વત પારસી મીઠાશના રૂપમાં ખાંડ અને દારની પોરી તેમની વાર્ષિક પરંપરાગત રીતે ધાર્મિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
શ્રી સોરાબજી બરજોરજી ગાર્ડા કોલેજ ટ્રસ્ટના પારસી સાંસ્કૃતિક વિભાગના સક્ષમ સંચાલન હેઠળ ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ઉપસ્થિતોને ધાર્મિક વિધિ તથા તાજા પાણીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને સદીઓથી આપણા સમુદાય દ્વારા તેની પૂજા કરવામાં આવે છે. આ પછી જશન સમારોહ યોજાયો હતો, જેનું સંચાલન એરવદ ફીરદોશ કરકરીયા અને તેમની ટીમ દ્વારા નવસારી ડુંગરવાડીની બાજુમાં, પૂર્ણા નદીના કિનારે, ટાટાનો વજીફોના સુંદર પ્રાકૃતિક પરિસરમાં હળવા નાસ્તાનું વિતરણ કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
અગાઉ, નવસારીમાં લગભગ દરેક પારસી પરિવાર પાસે કુવા હતા અને ઘરની મહિલાઓ ત્યાં પ્રાર્થના કરતી. પરંતુ આધુનીકરણના આગમન સાથે અને આ રીતે મેટ્રો શહેરોમાં સ્થળાંતર થવાથી, કુવાઓ સાથેના થોડા જ પારસી ઘરો બાકી છે, અને તેઓ સંસ્કૃતિને વળગી રહ્યા છે. નવસારીનો બાકીનો પારસી સમુદાય પાણીના પવિત્ર તત્વની પૂજા કરવા માટે સમુદાય એકસાથે આવીને આ ધાર્મિક વિધિ કરે છે.
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025