પાચનતંત્રને નોર્મલ રાખવા આટલું જરૂર કરો

સવાર-સવારમાં પેટ સાફ ન થાય તો લોકો આખો દિવસ પરેશાન રહે છે. ઘણીવાર પેટ સાફ ન થવાની સમસ્યા કબજિયાતમાં ફેરવાઈ જાય છે અને ધીમે-ધીમે પાઈલ્સ, અલ્સર સહિતની ગંભીર બીમારીઓનું જોખમ ઉભું કરે છે.
પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન: પેટ સાફ રાખવા માટે લોકોએ દરરોજ પુષ્કળ પાણી પીવું જોઈએ. 1 સ્વાસ્થ્ય નિષ્ણાંત અનુસાર હાઈડ્રેટેડ રહેવું એ સારું પાચન જાળવવાનો સૌથી સરળ અને અસરકારક માર્ગ છે.
ફાઈબરવાળા ખોરાકનું સેવન કરવું જોઈએ: પેટ સાફ કરવા અને કબજિયાતથી રાહત મેળવવા માટે ફાઈબરવાળા ખોરાકનું સેવન કરવું જોઈએ. પાચન તંત્ર માટે ફાયબર સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફળો, શાકભાજી, અનાજ, ડ્રાઈ ફૂટસ અને બીજમાં ફાઈબર સારી માત્રામાં જોવા મળે છે.
ફળો અને શાકભાજીનો રસ: ફળો અને શાકભાજીનો રસ કોલોન એટલે કે મોટા આંતરડાને સાફ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા પોષક તત્વો સફાઈનું કામ કરે છે અને પેટમાં જમા થયેલી ગંદકીને બહાર છે. કબજિયાતના દર્દીઓ માટે ફળ અને શાકભાજીનો રસ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને ડાયાબિટીસ હોય તો ફળોનો રસ પીતા પહેલા ડાયેટિશિયન અથવા ડોક્ટરની સલાહ અવશ્ય લો.
અળસીના બીજ: પેટ સાફ કરવામાં અળસીના બીજ ખૂબ જ ચમત્કારિક સાબિત થઈ શકે છે. અળસીના બીજનો ઉપયોગ કબજિયાતની પરંપરાગત સારવાર તરીકે થાય છે. અળસીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે પાચનને સુધારે છે અને પેટ સાફ કરવામાં મદદ કરે છે. તમે અળસીના બીજને આખા ખાઈ શકો છો અથવા તેનો પાવડર બનાવી શકો છો.
દેશી ઘી: સ્વાસ્થ્ય નિષ્ણાંતનાં મતે પેટ સાફ કરવા માટે લોકોએ સવારે વહેલા ઉઠીને એક ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચમચી દેશી ઘી ઉમેરીને પીવું જોઈએ. આ પછી 30 મિનિટ વોક કરો આમ કરવાથી તમારું પેટ સારી રીતે સાફ થઈ જશે અને તમે જૂની કબજિયાતથી પણ છુટકારો મેળવી શકશો. તમે આ લાંબા સમય સુધી કરી શકો છો. તેનાથી સ્વાસ્થ્યને લાભ થશે.

Leave a Reply

*