મુંબઈના મરીન ડ્રાઈવ સી-ફેસ પર સ્થિત પારસી ગેટના પુન:સ્થાપનમાં વિલંબ અંગેની ચિંતાઓને ધ્યાનમાં રાખીને, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ શેર કર્યું છે કે આ પવિત્ર સ્થળ પર પુન:સંગ્રહ કાર્ય શરૂ થઈ ગયું છે. મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેકટના ચાલી રહેલા બાંધકામ માટે પવિત્ર માળખું તોડી પાડવામાં આવ્યું હતું.
સમાચાર અહેવાલો અનુસાર, કોસ્ટલ રોડ પ્રોજકટના એન્જિનિયર – વિજય ઝોરેએ શેર કર્યું કે નવી સાઇટ જૂના સ્થાનની ઉત્તરમાં 75 મીટર (કોસ્ટલ રોડના વરલીના છેડા તરફ) હશે. સ્ટેપ્સ, રેલિંગ અને કટઘરાનું કામ પતી જતા કોલમ ઇન્સ્ટોલ કરવામાં આવશે. સાઇટ ખસેડવામાં આવી છે કારણ કે રસ્તા પર બાંધવામાં આવેલ કેનોપી સમગ્ર રોડ પરથી કોલમના દૃશ્યોને અવરોધે છે. તેમણે ઉમેર્યું હતું કે નવી સાઇટને સમુદાયના સભ્યો દ્વારા મંજૂર કરવામાં આવી હતી.
બે ઝીણવટપૂર્વક કોતરેલા, 5-મીટર-ઊંચા પથ્થરના સ્તંભોનો સમાવેશ કરીને, સમુદાય પરોપકારીઓ દ્વારા 20મી સદીની શરૂઆતમાં બાંધવામાં આવેલ પારસી દરવાજો, એપ્રિલ, 2021માં તોડી પાડવામાં આવ્યો હતો, જેના પરિણામે સમુદાયમાં ખળભળાટ મચી ગયો હતો, આવાં – પાણીની દિવ્યતા સાથે સંકળાયેલી વિવિધ ધાર્મિક વિધિઓ માટે આ પવિત્ર સ્થળ સમુદાયના સભ્યો દ્વારા વારંવાર ઉપયોગમાં લેવામાં આવતું હતું. જ્યારે મેના અંતને પુન:સ્થાપન પૂર્ણ કરવા માટે કામચલાઉ તારીખ તરીકે દર્શાવવામાં આવે છે, ત્યારે બીએમસી મુજબ, તેમાં વધુ સમય લાગી શકે છે.
- સોરાબજી બરજોરજી ગાર્ડા કોલેજ ટ્રસ્ટ, નવસારી - 8 February2025
- અજમલગઢ ખાતે ઐતિહાસિક જશન યોજાશે - 8 February2025
- સાહેર અગિયારીએ 179મા સાલગ્રેહનીભવ્ય રીતે ઉજવણી કરી - 8 February2025