દોલી દોટીવાલાને શ્રધ્ધાંજલિ

ઓ મારી વહાલી માયાળુ દોલત, તારા વગર સુનુ થઈ ગયુ મારૂં જગત. આપણે જ્યાં જતા હતા ત્યાં સાથેને સાથે, હવે કોણ આવશે મારી સંગાથે. તું તો ગઈ છોડી મારો સાથ, હવે કોણ પકડશે મારો હાથ. તારૂં હસતું મુખડું ગોરૂ તન, તારી તસ્વીર જોઈને કરૂં છું હું વંદન. ગરોથમાન બહેસ્તમાં તને ખુબ શાંતિ મળે એજ ખુદાને […]

માનસિક તાણ

ઘણાંને માનસિક તાણ રહેતી હોય છે. માનસિક તાણ ઉભી થવાના અનેક કારણો હોય છે. ઘણે ભાગે, વ્યક્તિના વર્તમાન સંજોગોને લીધે માનસિક તાણ ઉભી થતી હોય છે. ડોકટરો પાસે જઈને જાતજાતની દવાઓનું સેવન કરતા માનસિક તાણના ફરિયાદીઓએ એક સાવ સરળ ઉપાય કરી જોવા જેવો છે. દરરોજ સવારમાં ફકત પંદર મિનિટ વિવિધ મનફાવે તેવી કસરતો કરી લેવી! […]

હસો મારી સાથે

કાલે એક મિત્ર ના ઘેર ગયો..બિચારો માથું પકડી ને બેઠો હતો.. મેં પૂછયું શુ થયું યાર? મને કહે બાપા એ બદલો લીધો.. હું સ્કૂલમાં હતો ત્યારે એ ફી ના પૈસા આપતા એમાંથી હું ફીલ્મ જોવા ભાગી જતો… આજે મેં એમને ચારધામ યાત્રા કરવા માટે પૈસા આપ્યા તો એ બેંગકોક ભાગી ગયા.

ઈશ્ર્વર પર ભરોસો

એક હોડી તોફાનમાં ફસાઈ એથી એમાં બેઠેલી એક યુવતી થરથર ધ્રૂજવા લાગી ત્યારે… એક આસ્થાવાન યુવકનાં લગ્ન થયાં. લગ્ન પછી થોડા દિવસો બાદ તેની પત્નીને પિયરની યાદ આવી. તેણે કહ્યું કે મારે થોડા દિવસ માટે મારે પિયર જવું છે. યુવાને કહ્યું, ‘ખુશીથી જા. હું તને કાલે તારે પિયર મૂકી જઈશ.’ બીજે દિવસે બન્ને ઘરેથી નીકળ્યાં. […]

કરામતી ઘોડો અને તેની વિચિત્ર કિંમત

પૂર્વ કાળમાં ઈરાનના એક પાદશાહનો એવો રિવાજ હતો કે તેના જન્મ દિવસે તે એક મોટો દરબાર દર વર્ષે ભરતો હતો. ત્યાં એક વર્ષમાં જે જે નવી નવી શોધો કોઈએ કરી હોય કે જે જે નવું કાંઈ કોઈએ પોતાની અકકલ હોશિયારીથી બનાવ્યું હોય તે બધાની તપાસ તે દિવસે તે દરબારીઓની વચ્ચે લેતો હતો. પછી બધા બુધ્ધિશાળી […]

પારસી પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ

પ્રાર્થના અને ધાર્મિક માન્યતા એ છે કે ધર્મ માત્ર તત્વજ્ઞાનથી અલગ પડે છે.  પ્રાર્થના અને ધાર્મિક વિધિઓથી આધ્યાત્મિક  ઉત્સવનો અનુભવ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. પ્રાર્થના અને ધાર્મિક વિધિઓનો હેતુ સભાન જાગૃતતા પેદા કરવાનો છે, જે બદલામાં, આધ્યાત્મિક વિદ્યાનું સમજણ અને સમજૂતી જાણવા મળે છે. પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ પણ એક માધ્યમ પૂરું પાડે છે, […]