ગામડિયા કોલોની રિક્રિએશન સેન્ટરે જૂન 10, 2017ને જમિયાદ રોજને દિને દએ મહિનાના જશનની ઉજવણી કરી હતી. જશનની પવિત્ર ક્રિયા એરવદ વિરાફ ભેસાનિયા અને એરવદ પાશાન અંકલેસરિયાદ્વારા કરવામાં આવી હતી. જશનની ક્રિયા પછી દસ્તુરજી અને ત્યા હાજર રહેલા લોકોએ હમબંદગી કરી ત્યારબાદ ચાશ્ની પીરસવામાં આવી હતી. કમિટી મેમ્બરોએ જશનમાં આવેલા લોકોનો આભાર માન્યો હતો.
ગામડિયા કોલોની વેલફેર એસોસીએશનએ તેમનું વાર્ષિક જશન 11મી જૂન 2017ને દિને શેઠના અગિયારના હોલમાં કર્યુ. પ્રાર્થના પછી મનોરંજનનો કાર્યક્રમ રજૂ થયો હતો જેની વ્યવસ્થા બિનાયફર મહેતાએ કરી હતી અને આ કાર્યક્રમમાં 150 જેટલા લોકોએ ભાગ લીધો હતો.
Latest posts by PT Reporter (see all)
- બરોડાની કોન્ટ્રાક્ટર આદરિયાને 102માં સાલગ્રેહની ઉજવણી કરી - 8 March2025
- વિસ્પી ખરાડીએ નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો - 8 March2025
- પારસી મહિલાઓનું સશક્તિકરણ:મહિલા દિવસનું મહત્વ - 8 March2025