એક ભિખારી બપોરે એક વાગ્યો એટલે ભીખનો વાડકો ઊંધો કરીને સુઈ ગયો.
કોઈકે સલાહ આપી ‘તું ભલે સુઈ જાય, આ વાડકો તો સીધો રાખ. કદાચ કોઈ અહીંથી જતા જતા વાડકામાં સિક્કા નાખતા જાય.’
ભિખારીએ આંખ અર્ધી ખોલી ને જવાબ આપ્યો ‘ના રે ના! કોઈક બે પાંચ રૂપિયાનો સિક્કો નાખી જાય ને અવાજ થાય, નકામી લાખ રૂપિયાની નીંદર બગાડવી, એના કરતાં 1 થી 4 ધંધો જ બંધ!’
Latest posts by PT Reporter (see all)