સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) ના સીઈઓ અને માલિક આદર પુનાવાલાએ તેના નૈદાનિક પરીક્ષણો પૂરા થતાં પહેલાં તેમાં ખૂબ જ રોકાણ કરીને, કોરોનાવાયરસ વેકસીન લીધી છે અને તેનું પરિણામ સારૂં આવશે કેમ કે પ્રારંભિક પરીક્ષણોમાં હકારાત્મકતા બતાવવામાં આવી છે. પુણે સ્થિત એસઆઈઆઈ એ વિશ્ર્વની સૌથી મોટી વેકસીન ઉત્પાદક છે. આપણા ડાયનામીક આદર પુનાવાલાએ પ્રથમ બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની, એસ્ટ્રાઝેનેકા સાથે ભારત અને અન્ય વિકાસશીલ દેશોમાં વેકસીન ઉત્પાદન અને વેચાણ માટેના સોદા પર હસ્તાક્ષર કરીને એક મોટી તક લીધી હતી.
મીડિયા રિપોટર્સ અનુસાર, આદર પુનાવાલાએ કહ્યું, અજમાયશમાં અમને આશાસ્પદ પરિણામો જોવા મળ્યા છે અને અમે તેના વિશે ખૂબ ખુશ છીએ. અમે જલ્દી જ ભારતીય નિયમનકારને લાઇસન્સરી ટ્રાયલ માટે અરજી કરીશું. તેઓ અમને જેવી મંજૂરી આપે તેમ અમે ભારતમાં રસી માટેના પરીક્ષણોથી પ્રારંભ કરીશું. આ ઉપરાંત, અમે ટૂંક સમયમાં જ મોટા પ્રમાણમાં રસીનું ઉત્પાદન શરૂ કરીશું.
અહીં એવી આશા છે કે આપણા સમુદાયના ગૌરવ, પુનાવાલાએ, કોવિડ -19 રોગચાળાને લીધે થતાં આક્રોશ સામે વિશ્ર્વવ્યાપી જીવનની સેવા કરવામાં અને તેનું રક્ષણ કરવામાં પોતાને અગ્રણી સાબિત કરે છે.
- સાલ મુબારક! - 10 August2024
- આત્માનું સ્થાન તેના કાર્યો દ્વારા નક્કી કરવામાં આવે છે! - 10 August2024
- વન્દીદાદને સમજવું – અનિષ્ટની શક્તિઓ સામેનો કાયદો - 10 August2024