મે, 2021ના અંતિમ સપ્તાહ દરમિયાન, ઇસ્ફહાન, તેહરાનની યુનિવર્સિટીઓના પુરાતત્ત્વવિદોની સંયુક્ત ટીમે કાશન નજીક આવેલા વિગોલમાં, એક પ્રાચીન અગ્નિ મંદિર અથવા અગિયારી શોધી કાઢી હતી. આમાં કોતરણીવાળા ટેબલ અને ખુરશીઓ સહિત જીપ્સમ ફર્નિચરના સેટ શામેલ છે. સંશોધન ઈન્સ્ટીટયુટ ઓફ કલ્ચરલ હેરિટેજ એન્ડ ટુરિઝમ મત પ્રમાણે પુરાવા સૂચવે છે કે સાસાનીયન યુગ (224-651) દરમિયાન જીપ્સમ ફર્નિચરનો ઉપયોગ એક સમયે પરંપરાગત ધાર્મિક વિધિઓ માટે થતો હતો.
સાસાનીયન શાસન હેઠળ, ઇરાને પર્સિયન સંસ્કૃતિ દ્વારા મોટી સિદ્ધિઓ નોંધાવી હતી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સાસાનીયન યુગ દરમિયાન રાષ્ટ્રની કળા અને સ્થાપત્યનો પુનજાગરણ કાળનો અનુભવ થયો. ધાતુકામ અને રત્ન-કોતરણી જેવા હસ્તકલા વધુ સુસંસ્કૃત બન્યા, કેમ કે રાજ્ય દ્વારા શિષ્યવૃત્તિને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. ઉપરાંત, પૂર્વ અને પશ્ચિમનાં ઘણાં કાર્યો પહલવીમાં અનુવાદિત થયા
હતા – જે સાસાનીયનઓની સત્તાવાર ભાષા છે.
વિશ્ર્વકોશ બ્રિટાનિકા જણાવે છે કે ઇરાની રાષ્ટ્રવાદનું પુનરૂત્થાન સસાનીયન શાસન હેઠળ થયું હતું. ઝોરાસ્ટ્રિયનીઝમ રાજ્યનો ધર્મ બન્યો. સિંહાસન, માર્ગ નિર્માણ, શહેર નિર્માણ અને કૃષિ માટે પણ સરકાર દ્વારા નાણા આપવામાં આવતા પ્રાંત અધિકારીઓ સાથે સરકાર કેન્દ્રિય હતી. અરબ આક્રમણકારો દ્વારા 637 થી 651 દરમિયાનના રાજવંશનો નાશ કરવામાં આવ્યો હતો.
(તેહરાન ટાઇમ્સના સૌજન્યથી)
- ઝેડએકેઓઆઈએ દરેમહેર માટે પ્રોપર્ટી ખરીદી - 27 July2024
- Insightful Annual Seminar By WZO - 27 July2024
- WZCC Pune Organises Member’s Night - 27 July2024