અનિદ્રામાં પાણી

સાદું પાણી નિદ્રાહર છે. સાદું પાણી જેટલું વધારે પીશો, તેટલી ઉંઘ ઓછી આવશે. જેઓને અનિદ્રાની તકલીફ હોય છે તેઓ ખૂબ પાણી પીતાં જોવા મળશે. અનિદ્રામાં પાણી શકય તેટલું ઓછું અને નિદ્રાટાણે તો ન જ પીવું જોઈએ. જેઓને વારે વારે ઉંઘ આવ્યા કરતી હોય અને તેથી કામ અટવાઈ જતાં હોય અને ઈચ્છાનુસાર જાગી ન શકાતું હોય […]

નિદ્રાવસ્થામાં બબડાટ

નિદ્રાવસ્થામાં બબડાટ અર્થાત ઉંઘમાં બબડવાની ટેવ અમુક વ્યક્તિઓમાં જોવા મળે છે. તબીબીશાસ્ત્રી માટે આનો છે કોઈ ઉપાય? પરંતુ પ્રાકૃતિક ચિકિત્સામાં આનો પણ ઉપચાર જણાવી શકાય છે. કે, જે વ્યક્તિને ઉંઘમાં બબડવાની ટેવ ધરાવતી હોય તેણે દરરોજ શુધ્ધ જળ સાથે સોનામુખી ચૂર્ણ 1-1 નાની ચમચી જેટલું દિવસમાં એક જ વખત લેતાં રહેવું. કાળાંતરે, આ પ્રયોગની અસરરૂપે […]

કબજિયાત-અનિદ્રામાં નાળિયેરનું સેવન

કબજિયાત એટલે કે મળાવરોધ એટલેકે શરીરમાં તૈયાર થયેલા મળને શરીર બહાર ફેંકવામાં અનુભવાતી મુશ્કેલીઓ! આજકાલ આ તકલીફો લોકોમાં બહુ જ સામાન્ય છે. અનિયમિત અને અનુચિત આહાર-વિહાર જ કબજિયાતનું એક મુખ્ય જવાબદાર કારણ છે. કેટલીકવાર પૂરતી ઉંઘ ન મળવાને લીધે પણ કબજિયાત થઈ આવે છે. કબજિયાત અને અનિદ્રા એમ બે તકલીફ એકી સાથે અનુભવાતી હોય તેવી […]

મળાવરોધમાં છાશ

દેહના પાચાંગો કે પાચનતંત્રમાં કંઈક કમજોરી કે વિકાર હોવાની સ્થિતિમાં આહારનું પાચન સરખી રીતે થઈ શકતું નથી અને એ જ કારણસર ઘણીવાર કબજિયાત કે મળાવરોધ જેવી તકલીફ ઉભી થઈ શકે છે. મળાવરોધ એટલે મળ તે સર્જનમાં અવરોધ ઉભો થવો તે! વૃધ્ધ વ્યક્તિઓમાં મળાવરોધની ફરિયાદ ખાસ હોય છે. મળાવરોધમાં મોળી છાશમાં સૂંઠ નાખી તેનું નિત્યસેવન કરતાં […]

કાયમની કબજિયાત

અમુક વ્યક્તિઓને ખાસ કારણોસર કબજિયાત થઈ આવતી હોય છે તો, અમુક વ્યક્તિઓને કાયમની કબજિયાત હોય છે. કાયની કબજિયાત કેમ મટે? દરરોજ જમવામાં એક ડુંગળી કાચી અચૂક હોવી જોઈએ. અને દરરોજ પાંદડાવાળા શાકભાજી ખાતાં રહેવું. બસ, આટલું નિયમીત રાખશો તો કયારેય કબજિયાત નહીં રહેશે. આ પ્રયોગ સાવ જ નિર્દોષ અને વ્યવહારૂ છે અને કાયમ થઈ શકે […]

ગુલકંદ

ઉનાળામાં ગરમીના દિવસોમાં ગુલકંદનું સેવન ઘણું ઉપકારક નીવડે છે. ગુલકંદ કેવી રીતે બનાવશો? ગુલાબની પાંખડીઓ એક પાત્રમાં પાથરી દો. તેના ઉપર સાકર-એલચી-કેસર પાથરી દો. આમ સાત-આઠ થર કરીને એ પાત્રને પૂરો એક માસ સુધી તડકામાં મૂકી રાખો. પાત્રમાં બરાબર એક માસ પછી ગુલકંદ તૈયાર થઈ ગયું હશે. 1 માસને બદલે આ મુદત આવશ્યતાનુસાર ઓછી પણ […]

પ્રાત:કાળે જલપાન સર્વ રોગનાશક છે

પ્રાત:કાળ એટલે કે સવારે સુરજ ઉગે તે પહેલાંના સમયે દરરોજ આઠ કપ જેટલું સાદુ પાણી પીવાનો ક્રમ રાખવો અત્યંત સ્વાસ્થ્યપ્રદ છે એટલું જ નહીં આ પ્રયોગ સર્વ રોગનાશક છે. આ પ્રમાણે પ્રાત:કાળે નિયમીત જલપાન કરનાર વ્યક્તિને જલદી વૃધ્ધત્વ પણ આવતું નથી અને તેનું આયુષ્ય પણ વધવા લાગે છે. આનું મુખ્ય કારણ એ કે ભારતીય ચિકિત્સાના […]

માનસિક તાણ

ઘણાંને માનસિક તાણ રહેતી હોય છે. માનસિક તાણ ઉભી થવાના અનેક કારણો હોય છે. ઘણે ભાગે, વ્યક્તિના વર્તમાન સંજોગોને લીધે માનસિક તાણ ઉભી થતી હોય છે. ડોકટરો પાસે જઈને જાતજાતની દવાઓનું સેવન કરતા માનસિક તાણના ફરિયાદીઓએ એક સાવ સરળ ઉપાય કરી જોવા જેવો છે. દરરોજ સવારમાં ફકત પંદર મિનિટ વિવિધ મનફાવે તેવી કસરતો કરી લેવી! […]

કાચું અને પાકું પપૈયું

પપૈયું એક ઉત્તમ આરોગ્યપ્રદ ફળ છે. આપણે ત્યાં પપૈયું સર્વત્ર સરળતાથી ઉપલ્બધ છે. સામાન્ય રીતે, કાચું અને પાકું પપૈયું આહારમાં વપરાય છે. પરંતુ એક વાત ખૂબ જ ધ્યાન પર રાખવા જેવી છે કે કાચું પપૈયું ઝાડ પરથી તોડીને હમેશા તાજું જ ખાવું જોઈએ અને વાસી ન થવા દેવું જોઈએ અને પાકું પપૈયું ઝાડ પરથી તોડીને […]