26 જાન્યુઆરી, 2020 ના પ્રજાસત્તાક દિવસે, કચ્છની અંજાર તહસીલ, પાલિકાના પ્રમુખ તરીકે શાસન કરનાર રૂસ્તમજી નશરવાનજી ડાંગોરના સ્ટેચ્યુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રૂસ્તમજીએ 1966 થી શરૂ થતાં તેમના સત્તર વર્ષના કાર્યકાળ દરમિયાન અંજારના રહેવાસીઓના ઉપયોગ માટે અસંખ્ય જાહેર સવલતો અને અન્ય ઘણી જરૂરી સુવિધાઓ રજૂ કરવા અને વિકસાવવા માટેનો આધાર બનાવ્યો હોવાનો શ્રેય આપવામાં આવે છે. અંજાર તહસીલના સરકારી અધિકારીઓની હાજરીમાં વર્તમાન પ્રમુખે તકતીની સાથે પૂતળાનું અનાવરણ કર્યું હતું. પ્રતિમાનું અનાવરણ કચ્છનો રણ ઉત્સવ શરૂ હતો એ દરમ્યાન કરવામાં આવ્યું હતું. (23 ફેબ્રુઆરી, 2020 સુધી)
Latest posts by PT Reporter (see all)
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025