સ્ક્વોડ્રોન નેતા પરવેઝ જામાસજી (નિવૃત્ત), જેમને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન શૌર્ય માટે વીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા, 25મી જૂન, 2020ની રાત્રે 77 વર્ષની વયે ટૂંકી માંદગીમાં તેઓ અવસાન પામ્યા હતા. ભૂતપૂર્વ એરફોર્સ અધિકારી મુંબઈની દાદર પારસી કોલોનીના નિવાસી હતા. તેમના પછી પત્ની, બે પુત્રો અને એક પુત્રી છે. તેઓ 1965માં કમિશન થયા અને 1985માં નિવૃત્ત થયા હતા.
1971ના બાંગ્લાદેશ લિબરેશન યુદ્ધ દરમિયાન તેણે પૂર્વ પાકિસ્તાનમાં ગંભીર વાવાઝોડા ફેલાવ્યા હતા અને તેમના પગ પર ગોળીના ઘા થયા હતા. તેમની આ વાર્તા જુલાઈ, 2012માં મુખ્ય અગ્રણી દૈનિકના મુખ્ય પાના પર ખાસ મથાળાઓ બની હતી. યુદ્ધ દરમિયાન હેલિકોપ્ટર ઓપરેશન કરતી વખતે હેલિકોપ્ટર પાઇલટ તરીકે તેમને ખૂબ ઈજઓ થઈ હતી જેના કારણે તેમને વોકિંગસ્ટીકનો ઉપયોગ કરવો પડયો હતો.
તેમની બહાદુરીને પ્રતિષ્ઠિત વીર ચક્રથી નવાજવામાં આવી હતી અને મહારાષ્ટ્ર સરકારે ગૌરવ પુરસ્કારથી તેમનું સન્માન પણ કર્યું હતું. એક યુવાન વિંગ કમાન્ડર તરીકે, તેમણે એમઆઈ -4 રશિયન હેલિકોપ્ટરમાં સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સના સેંકડો સૈનિકોને દુશ્મનના પ્રદેશમાં સ્થાનાંતરિત કર્યા, જ્યારે તે મિઝોરમ સરહદ પર દિમાગિરી અને પછી પૂર્વ પાકિસ્તાનમાં તૈનાત હતા.
અમે આ દુ:ખભર્યા સમય દરમિયાન તેમની પત્ની ઝરીન અને પુત્ર રૂસ્તમ અને બહાદુર જામાસજી પરિવારની સાથે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને તેમની સાથે છીએ. તેના આત્માને ગરોથમાન બહેસ્ત પ્રાપ્ત થાય.
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025