આમળા: આમળા લોહીને સુધારવામાં અને ઓક્સિડેટીવ તાણના બાયોમાર્કરને ઘટાડવામાં મદદ કરી શકે છે. આમળા વિટામિન-સી નો સારો સ્રોત છે. આ ઉપરાંત તેમાં શરીર માટે જરૂરી પ્રોટીન, આયરન અને ફાઈબર પણ હોય છે. તે દરરોજ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બનશે.
નારંગી: નારંગીમાં ઘણા પોષક તત્વો હોય છે. તેની મહાન વિશેષતા એ છે કે તેમાં ખૂબ ઓછી કેલરી હોય છે. કોઈપણ પ્રકારની સંતૃપ્ત ચરબી અથવા કોલેસ્ટરોલ નારંગીમાં નથી હોતું. તેનાથી વિપરિત તે ખાવાથી આહાર ફાઇબર મળે છે, જે હાનિકારક પદાર્થો શરીરમાંથી બહાર કાઢે છે. નારંગી પાચન તંત્ર માટે ટોનિક તરીકે કાર્ય કરે છે અને રોપ્રતિકારક શક્તિમાં પણ સુધારો કરે છે.
પપૈયા: પપૈયાની જેમ નારંગી પણ ઓછી કેલરી અને ફાયબરનો સારો સ્રોત છે. પપૈયા પણ શરીરને ડિટોક્સિફાઇ કર્યા પછી પાચન ક્રિયાને સુધારો છે. તેનાથી ઘણા પાચક વિકારોમાંથી રાહત મળી શકે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ ફળ ઘણું સારું છે.
ગાજર અને આદુ: ગાજર અને આદુમાંથી બનેલો રસ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ બંને ભેળવીને બનાવેલા રસમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ તેમજ આયરન અને કેલ્શિયમ જેવા ખનિજો મળી આવે છે.
તડબૂચનો રસ: તરબૂચમાં વિટામિન એ, વિટામિન સી, મેગ્નેશિયમ અને જસત જેવા પોષક તત્વો હોય છે. આ જ્યુસ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ જ્યુસ માંસપેશીઓના દુ:ખાવામાં પણ રાહત આપે છે.
શિમલા મરચું: સિમલા મરચું વિટામિન-સી, વિટામિન-એ અને વિટામિન-ઇનો સારો સ્રોત છે. તેમાં મળી આવતા ખનિજો અને પોટેશિયમ શરીરની રોગ પ્રતિકારક શક્તિ જાળવવામાં અસરકારક છે. તમે કોઈ પણ ડીશનો સ્વાદ વધારવા માટે પણ તેમાં શિમલા મરચાનો ઉપયોગ કરી શકો છો.
દાણાવાળા શાકભાજી: બાળકોના આહારમાં દાણાવાળા શાકભાજીઓ જેવા કે રાજમા, ચણા, વટાણા અને અન્ય ઘણા પ્રકારની દાળનો પણ જરૂર ઉમેરો કરો. આ વસ્તુઓ શરીરમાં પ્રોટીનની ઉણપને પૂરી કરવા સાથે સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ સુધારો કરે છે.
લીંબુ: વજન ઘટાડવા લઈને હૃદય રોગથી જેવી ગંભીર સમસ્યાઓ માંથી રાહત મેળવવા માટે લીંબુ સંજીવની જેવું કામ કરે છે. તેમાંથી મળતું સિટ્રિક એસિડ પથરીની સારવારમાં પણ ખૂબ અસરકારક છે. તે શરીરમાં પેશાબનું પ્રમાણ અને પીએચનું સ્તર વધારવાનું કામ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેને આહારમાં શામેલ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
દહીં: ડોકટરો કહે છે કે દરરોજ દહીં ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. દહીં સ્નાયુઓના ખેંચાણને પણ હળવું કરે છે. તે શરીરને ખૂબ ઝડપથી એનર્જી આપવાનું કામ કરે છે. વર્કઆઉટ્સ પછી ઘણા લોકો તેને નિયમિત આહારમાં પણ લે છે.
બદામ: શરદીથી બચવા માટે શરીરમાં વિટામિન ઇ હોવું ખૂબ જરૂરી છે. વિટામિન ઇ રોગપ્રતિકારક શક્તિને તંદુરસ્ત રાખે છે. બદામમાં વિટામિન ઇની સાથે સાથે આરોગ્યપ્રદ ચરબી પણ મળી આવે છે. પાંચ-છ બદામ તમને દરરોજ જરૂરી વિટામિનનું પ્રમાણ પૂરું પાડશે.
- જીવન જીવવાનું રહી તો નથી ગયું ને? - 13 July2024
- ફિલ્ડ માર્શલ સામ માણેકશાનું સન્માન કરતો પુષ્પાંજલિ સમારોહ - 13 July2024
- Revolutionizing Zoro-Dating App ‘Love Story’ To Be Launched - 13 July2024