14 જૂન, 2021 ના રોજ, સુરત પારસી પંચાયતનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી કે બોમ્બે હાઈકોર્ટે અધિકારીઓને આદેશ આપ્યો છે કે મુસ્લિમો માટે કોવિડ-19 થી મૃત્યુના કેસોમાં દફન કરવાની મંજૂરી આપવામાં આવે. સુરતની પારસી ધાર્મિક સંસ્થાએ જરથોસ્તી સમુદાયના સભ્યો એવા કોવિડ પીડિત લોકોના મૃતદેહની ફરજિયાત અંતિમ સંસ્કાર કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો, અને માંગ કરી હતી કે, ધાર્મિક પરંપરા અનુસાર, દોખ્મેનશીની, સાયલન્સના ટાવર પર અમારા અંતિમ સંસ્કાર કરવામાં આવે. તેઓએ દાવો કર્યો હતો કે મૃતદેહનો અંતિમ સંસ્કાર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.
કોર્ટ સમક્ષ દલીલ કરતાં વરિષ્ઠ એડવોકેટ અસીમ પંડ્યાએ રજૂઆત કરી હતી કે અધિકારીઓ કોવિડ – 19 માં મૃત્યુ પામેલા મુસ્લિમોના મૃતદેહને દફન કરવાની મંજૂરી આપવા માટે અચકાતા હતા, એમ કહેતા હતા કે તેનાથી વાયરસ ફેલાય છે, પરંતુ બોમ્બે હાઈકોર્ટે તેમને મંજૂરી આપવાનો આદેશ આપ્યો કે મૃતકોને દફનાવી દો. આ મુદ્દો ઉઠાવીને, વકીલે સમકક્ષતાનો દાવો કર્યો અને ભારપૂર્વક કહ્યું કે વૈજ્ઞાનિક રૂપે એવું સાબિત થયું નથી, કે કોરોના વાયરસ શબ દ્વારા ફેલાય છે.
એડવોકેટ પંડ્યાએ વધુમાં દલીલ કરી હતી કે કેન્દ્ર સરકારે પારસી જેવા નાના ધાર્મિક લઘુમતીઓની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં લીધી નથી. કોર્ટે આ મુદ્દે બીજી સુનાવણી 2 જુલાઈ, 2021 ના રોજ મુલતવી રાખી છે
(સ્રોત: ઝઘઈં, અ’બફમ)
- ઝેડએકેઓઆઈએ દરેમહેર માટે પ્રોપર્ટી ખરીદી - 27 July2024
- Insightful Annual Seminar By WZO - 27 July2024
- WZCC Pune Organises Member’s Night - 27 July2024