ડુંગરવાડીની હોડીવાલા બંગલીનું નવીનીકરણ કરવામાં આવ્યું

ડુંગરવાડી ખાતે નવા રિનોવેટ કરાયેલ હોડીવાલા બંગલીના ઉદ્ઘાટન સમારોહનું આયોજન 27મી ડિસેમ્બર, 2023ના રોજ કરવામાં આવ્યું હતું. જર્જરિત બંગલીને સમારકામની તાત્કાલિક જરૂર હતી તે જોઈને સમુદાયના ખૂબ જ આદરણીય દંપતી – આરીન અને પરસી માસ્ટરે તેના રિનોવેશનમાં યોગદાન આપવાનું નક્કી કર્યું. આ ઉમદા કાર્ય કરવા માટે તેમને શું પ્રેરણા મળી તે વિશે બોલતા કેપ્ટન પરસી માસ્ટરે કહ્યું, તે અહુરા મઝદા છે જે અમને આવા સારા કાર્યો કરવા માટે દિશામાન અને માર્ગદર્શન આપે છે. આ નવીનીકરણ તેમની મરહુમ પુત્રવધુ પિનાઝ ઝર્કસીસ માસ્ટરની યાદમાં હાથ ધરવામાં આવ્યું હતું અને તેને સમર્પિત છે, જેઓ ખૂબ જ નાની ઉંમરે ગુજરી ગયા હતા.
ઉદ્ઘાટન સમારોહની શરૂઆત જશન સમારોહથી થઈ હતી, ત્યારબાદ બીપીપીના ડેપ્યુટી સીઈઓ – શહેનાઝ ખંબાતાએ ઉદ્ઘાટનમાં હાજર રહેલા દાતાઓ અને બીપીપી ટ્રસ્ટીઓનો પરિચય કરાવ્યો હતો. અનાહિતા દેસાઈએ હોડીવાલા બંગલીના સંપૂર્ણ પરિવર્તન માટે માસ્ટર પરિવારના યોગદાનની પ્રશંસા કરી. ઈન્ટિરિયર ડિઝાઈનર અને કોન્ટ્રાક્ટર, ખુશરૂ સુખડીયા જેમણે ડુંગરવાડીમાં અન્ય બંગલીઓના નવીનીકરણ પર કામ કર્યું છે, તેમણે વિશ્ર્વાસના શ્રમ તરીકે પ્રોજેકટને હાથમાં લીધો.
આ પ્રસંગે બોલતા, દાતા કેપ્ટન પરસી માસ્ટરે આપણા ધર્મસ્થાનોની જાળવણી માટે વધુ સામુદાયિક સંડોવણી માટે વિનંતી કરી અને બીપીપીને તેના માટે મેન્ટેનન્સ ફંડ સ્થાપવા વિનંતી કરી. મી. અને મીસીસ હોડીવાલા, પરસીસ વાચ્છા સહિત ભૂતકાળમાં પણ ડુંગરવાડીની સુધારણા માટે યોગદાન આપનાર સુનુ બુહારીવાલા, મી. અને મીસીસી નોશીર ગોટલા, હોમાઈ દાદાચાનજી અને સાયરસ સીગનપોરિયા જેવા મહાન દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ડુંગરવાડીના મેનેજર વિસ્તાસ્પર મહેતા અને તેમની સમર્પિત કાર્યકરોની ટીમના સમર્પણની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

Leave a Reply

*