જેહાન માદન નાવર બન્યા

12 વરસના જેહાન માદન, હુતોક્ષી અને ફરોખ માદનના દીકરા તા. 9મી જૂન 2017ને દિને ડીડી ઉમરીગર આદરિયાન, ફત્તેહગંજ, વડોદરામાં વિધિવત નાવર બન્યા હતા. એરવદ હોમાવઝીર ભેસાનીયા અને એરવદ કેરસી ભેસાનિયા દ્વારા આ ક્રિયાઓ કરવામાં આવી હતી. માદન કુટુંબ દ્વારા ટ્રસ્ટીઓ તેમના કુટુંબ અને આદરિયાનના સ્ટાફને તેમણે કરેલા સપોર્ટ માટે તેમનો આભાર માન્યો હતો.

હોમી મહેતાને 100 વરસના જન્મદિનની શુભ કામનાઓ

વ્યક્તિ જ્યારે 100 વરસ પૂરા કરે છે ત્યારે તે ઘટના જાદુઈ અને અકલ્પનિય હોય છે ખરેખર, જેઓએ સદી ફટકારી છે તેઓ સારૂં નસીબ ધરાવે છે અને ભગવાન તેમના પક્ષમાં છે તેવાજ છે હોમી રૂસ્તમજી મહેતા 23મી જૂન 1917 ના રોજ કામા પાર્કમાં જન્મેલા તે ‘યુવાન’ માણસ. હોટલ કાર્લ રેસીડન્સી (અંધેરી) ખાતે છેલ્લા શુક્રવારના દિવસે આ […]

પ્રોફેસર ડો. મહેર માસ્તર મુસ

આપણે પ્રોફેસર ડો. મહેર માસ્તર મુસને સંજાણમાં ઝોરાસ્ટ્રિયન કોલેજની સ્થાપના કરનાર તરીકે ઓળખીયે છીએ સાથે તેઓ તેમની કેપમાં વિવિધ પીછાઓ ધારણ કરે છે. તેમણે સમુદાય અને આપણા દેશને ગર્વ થાય તેવા કાર્યો કર્યા છે. તેઓ પહેલા પારસી સ્ત્રી હતા જેમણે ઓકસફર્ડ યુનિવર્સિટીમાં લો સાથે ગ્રેજયુએશન પૂરૂં કર્યુ હતું. ડો. મહેરે તેમના ત્રીસ વરસ ઈન્ટરનેશનલ એકેડેમિક […]

ડો. કાવારાણાને શ્રધ્ધાંજલિ

24મી જૂન 2017ને દિને ડો. કેકુ કાવારાણા 76 વરસના અગ્રણી ઓરથોપેડિક સર્જન બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન પામ્યા. 22મી જૂન ગુરૂવારે તેમના મલબાર હિલના રહેઠાણ ખાતે તેઓ સુઈ ગયા હતા ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી અને ધુમાડાના ઈન્હેલેશનના લીધે તેઓનું મૃત્યુ થવા પામ્યું હતું. મેડિકલ સોર્સે જણાવ્યું કે ડો. કાવારાણા જ્યારે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા […]

Your Moonsign Janam Rashi This Week –
1st July, 2017 – 6th July, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે નાની બાબતમાં ગુસ્સે થઈ જતા હશો. ડ્રાઈવીંગ સંભાળીને કરજો. જમીન જાયદાદના કામ સંભાળીને કરજો. તમારી વસ્તુ તમને નહીં મળવાથી વધુ નારાજ થઈ જશો. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહેવાથી વધુ પરેશાન થશો. કામકાજમાં અપજશ મળશે. મંગળને શાંત […]

નવસારી તરફથી વડા દસ્તુરજીને અપાયેલી મુબારકબાદી

જમશેદબાગમાં 17મી જૂન 2017ને દિને નવસારી સમસ્ત પારસી ઝોરાસ્ટ્રિયન જનરલ ફંડ, નવસારી ભાગરસાથ અંજુમન અને નવસારી મલેસર બહેદીન અંજુમને સાથે મળી રજૂ કરેલો કાર્યક્રમ જેમાં વડા દસ્તુરજી ખુરશેદ કૈકોબાદ દસ્તુરજી જેમની ‘નેશનલ કમીશન ફોર માઈનોરીટી’ના પારસી સભ્ય તરીકે નિમવામાં આવ્યા છે તે બદલ તેમને મુબારકબાદી આપવામાં આવી હતી.

પારસી નાટક તખ્તાની ત્વારીખ

પણ દાદી ક્રાઈસ્ટ જેનું નામ! તે ફરામજીના સ્વભાવથી બરોબર જાણીતો હતો. તેણે ફરામજીની નાડી સાબુત પકડી અને તેને સમજાવી લઈ વળાવી લીધો હતો અને નવા ઉર્દુ ખેલમાં ફરામજી દલાલનેજ એક નાનો જેવો પાર્ટ આપી તે નવો ઓપેરા એસપ્લેનેડ નાટકશાળામાં સ્ટેજ કરાવ્યો હતો. આ મામલા દરમ્યાન, દાદી ઠુંઠીએ જબરી ચાતુરી વાપરી હતી! હું ભાર મૂકી લખું […]

શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે જાલે પોતાની કમન્દ લઈ તે મહેલના કંગ્રા ઉપર નાખી અને તેની મદદથી તે ઉપર ચઢી ગયો. રોદાબે બેઉ એકમેકનો ચહેરો જોઈ ખુશી થયાં અને બેઉએ એકમેક સાથે શાદીના ગાંઠમાં જોડાવાને કબૂલ કીધું. જાલેજરે રોદાબેને કહ્યું કે, ‘એ રૂપેરી છાતીની અને કસ્તુરીની ખુશબુની સર્વ જેવી સિધ્ધીબાનુ! જ્યારે મીનોચહેર આ બાબત જાણશે ત્યારે તે […]

શિરીન

મોલી કામા ઘણીક વેળા ત્યાં આવી ધામો નાખી દેતી, ને કોઈક વાર તો રાતનાં મોડું થતાં ત્યાજ તે રાત પસાર કરી નાખતી. એ જોઈ એક દિવસ ઝરી જુહાક પોતાનાં દીકરા આગળ ઘણાં બખાળી ઉઠયા. ‘પેલી તારી મોલીએ શું નવા ઢંગ માંડયાછ? હમણાંથી શાંની રાતનાં અત્રે રહી પડેછ? નોકરો વચ્ચે સારૂં લાગેછ કે?’ કે તેનાં જવાબમાં […]

ઝોરાસ્ટ્રિયનોનું પવિત્ર યાત્રાધામ

દર વરસે જૂન મહિનામાં 14થી 18 તારીખ વચ્ચે ઈરાન, ભારત તથા દુનિયાના બીજા દેશોમાંથી હજારો ઝોરાસ્ટ્રિયનો પ્રાચીન આતશબહેરામ પીર-એ-શબ્ઝ અથવા ચકચક ગામ જે ઈરાનના મધ્યમાં આવેલું છે અને જે આતશબહેરામ સૌથી પવિત્ર ગણાય છે તેની મુલાકાત લે છે. યાત્રાળુઓ છેલ્લે પગપાળા કરીને મંદિરે પહોંચે છે.

કર્જતમાં લાયનોની ઉમંગ

18 જુન, 2017 ના રોજ, લાયન્સ પર્સી માસ્ટર, કેટી પટેલ, સાયરસ સુરતી અને લાયનના 45 સભ્યોએ ઉમંગની મુલાકાત લીધી હતી. ઉમંગએ બાલ આનંદનું વિસ્તર છે અને વિશ્ર્વ ચિલ્ડ્રન કલ્યાણ ટ્રસ્ટ જે ભારત હેઠળ ચાલે છે. માનસિક રીતે અક્ષમતા ધરાવતા સોળ બાળકોનું આ ઘર છે જ્યા તેમને વિવિધ તાલિમ આપવામાં આવે છે.