ઝેડએસી ખાતે ધાર્મિક વિધિ કરાઈ

રોગચાળો ફેલાતાં વિશ્વભરમાં તેનો ભયંકર ફેલાવો થાય છે, તેમ છતાં, યુ.એસ.એમાં વધુ અસર થતા 34,500 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જીવલેણ કોવિડ-19ની ચુંગાલમાંથી માનવતાને બચાવવા અને રાહત આપવા માટે આપણે વધુને વધુ ભગવાન પર વિશ્ર્વાસ રાખીએ છીએ. કેલિફોર્નિયાના ઝોરાસ્ટ્રિયન એસોસિએશન (ઝેડએસી) પણ તાજેતરમાં કરવામાં આવેલ ધાર્મિક વિધિઓ સાથેની આ લાગણીને મજબૂતી આપી રહ્યું છે, […]

દવિયેર અગિયારીની 165મી સાલગ્રેહની શુભ ઉજવણી

15મી એપ્રિલ, 2020 ના રોજ, દવિયેર અગિયારીએ તેની 165મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી હતી. લોકડાઉનને કારણે, જશન અને જાહેર જનતા માટે ઉજવણી થઈ શકી નહોતી પરંતુ બોરડી અગિયારીના પંથકી એરવદ હોમી સેનાએ હમદીનોની હાજરી વગર સાંજે સ્ટા. 5.00 કલાકે જશનની પવિત્ર ક્રિયા કરી અને તેજ સમયે સમુદાયના લોકાને દીવો પ્રગટાવવા જણાવ્યું. બાઈ નવાઝબાઈ ગોઈપોરિયા […]

‘રતન તાતા માટે ભારત રત્ન’ પિટિશન બે લાખથી વધુ સહીઓ મેળવે છે

ઉદ્યોગપતિ રતન તાતાને ભારત રત્ન પ્રદાન કરવા ભવફક્ષલય.જ્ઞલિ પર યુઝરે શરૂ કરેલી અરજી, બે લાખથી વધુ સમર્થકો ભેગી કરી ચૂકી છે! અરજી મુજબ, રતન તાતા નમ્રતા અને પરોપકારીનું ચમકતું ઉદાહરણ છે અને ભારતમાં અનેક સંશોધન, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓનું સમર્થન અને સ્થાપના કરી રહ્યું છે. દિવસો પહેલા શરૂ થયેલી આ પિટિશનમાં તાતા જૂથ દ્વારા સ્થાપિત […]

હસો મારી સાથે

વોટ્સએપમાં રોજ સવારે લોકો જથ્થાબંધ છાપાઓ નાંખી જાય છે તો પસ્તી વાળા લઈ જાય કે..!? આતો કચરા – પોતા કર્યા પછી જરા ફ્રી બેઠો હતો એટલે પુછ્યું..! *** દિવસમાં બે-બે વખત રામાયણ અને મહાભારત જોવાના કારણે એવો ખીચડો થઇ ગયો છે કે કાલે રાત્રે સ્વપ્નમાં રાવણ જોડે વાદ-વિવાદ થયો, પણ યુધિષ્ઠિરે વચમાં આવીને અમારુ સમાધાન […]

દુનીયા વધુ સુંદર જીવવા લાયક સ્થળ બને

જ્યારે ટાઈટેનીક ડૂબ્યુ ત્યારે એની આસપાસ ત્રણ જહાજો હતાં. એકનું નામ ’સેમ્પસન’ હતું જે ટાઈટેનીકથી 7 માઈલ જ દૂર હતું. તેઓએ ટાઈટેનીકમાંથી આવતાં સફેદ ધૂમાડાની ખતરાની નિશાની જોઈ પણ તે જહાજનો ક્રૂ ત્યાં ગેરકાયદેસર સીલ માછલીનો શિકાર કરતો હતો આથી તે ટાઈટેનીક પાસે જવાને બદલે વિરુદ્ધ દિશામાં જતું રહ્યું. આ જહાંજ દર્શાવે છે કે આપણામાંના […]