સુખી થવું હોય તો બીજાની મરજીથી જીવતા શીખો!

22મી ઓકટોબર સાસુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાસુ અને વહુના ઝગડા દુનિયામાં બધેજ જોવા મલે છે. બન્નેને કેટલું પણ સમજાવવામાં આવે પણ બન્નેમાં કયારે પણ સુલેહ થતી નથી. એના આધારે અહીં એક વાર્તા રજૂ કરીએ છીએ આશા છે કે વાંચકોને ગમે. એક યુવતી પરણીને સાસરીએ આવી. સસરા તો પહેલેથી જ સ્વર્ગે સીધાવેલા એટલે સાસુમાંને […]

નૂતનવર્ષનો નવલો સંકલ્પ અંતરના કોડિયામાં દીવડાં પ્રગટાવીએ

આઝાદી પ્રાપ્તિના આટલા વર્ષો બાદ પણ આપણાં ભારત દેશની અનેક અપેક્ષાઓ પરિપૂર્ણ થઈ શકી નથી. અનેક આકાંક્ષા ફળિભૂત થઈ નથી. સ્વતંત્રતાના મીઠાફળ હજી રાષ્ટ્રના છેવાડાના માનવી સુધી પહોંચ્યા નથી. ભારત દેશમાંથી ગરીબી ઓછી થઈ નથી. બેકારી નાબુદ થઈ શકી નથી. વસ્તીવિસ્ફોટ અને નિરક્ષરતામાંથી મુકત થવા માટે દેશને હજુ અનેકવિધિ અંધારા ઉલેચવા પડશે. ગરીબીમાંથી બહાર આવવા […]

ફટફટ ફટાકડા ફૂટે!!

આજથી 82 વર્ષ પૂર્વે જ્યારે હું દસ વર્ષનો હતો ત્યારે મારા બાવા ફટાકડા ફોડવાના સખત વિરોધી હતા. અમારા ઘરમાં ફટાકડા તો શું નાની અમસ્તી ફટાકડીને પણ પ્રવેશ કરવા દેતા નહી અને કહેતા કે આપણા ધર્મની વિરૂધ્ધ છે. ફટાકડા ફોડાવાથી પવિત્ર આતશ પર ‘આજાર’ પડે છે, આજાર ફારસી શબ્દ છે અને તેનો અર્થ આફત, મુસીબત થાય […]

સુરતના શેઠ ડી.એન. મોદી શહેનશાહી આતશબહેરામની 195મી સાલગ્રેહની ઉજવણી

સુરત તા. 2જી ઓકટોબર 2017ને સોમવાર અર્દીબહેસ્ત મહિનો અને સરોષ રોજના શુભ દિને સુરત મધે આવેલી ડી.એન. મોદી શહેનશાહી આતશબહેરામની 195મી શુભ સાલગ્રેહ ખૂબ રંગેચંગે ઉજવવામાં આવી હતી. હાવનગેહમાં પાદશાહ સાહેબને 21 કિલોની સુખડની માચી અર્પણ થઈ હતી. ત્યારબાદ કાવ્યાની ઝંડો આતશબહેરામથી નીકળી આજુબાજુના પારસી મહોલ્લામાં વાજતે ગાજતે ફર્યો હતો. સૌએ ઝંડા પર હાર ચઢાવી […]

દિવાળીનું બોનસ

જનક સવારથી જ શેઠના હિસાબો વ્યવસ્થિત કરવામાં પડયો હતો. આમ તો એસ્બેસ્ટોર્સની ફેકટરીના માલિક અને એના શેઠના જાત જાતના હિસાબો હતા. વેટની ઓફિસે રજૂ કરવાના હિસાબો સેન્ટ્રલ એકસાઈઝવાળાને બતાવવાના હિસાબો, ઈન્કમટેક્ષની ઓફિસે રજૂ કરવાના હિસાબો બેન્ક માટેના હિસાબો અને સાચા હિસાબો આ બધા પૈકી એને તો સાચા હિસાબોવાળું કામ જ આપવામાં આવેલું ને ચાર દિવસથી […]

શુધ્ધતા અને સંપૂર્ણતા એટલે ખોરદાદ

જરથોસ્તી કેલેન્ડર પ્રમાણે ખોરદાદ એ ત્રીજો મહિનો છે જેનો અર્થ થાય છે શુધ્ધતા અને સંપૂર્ણતાના આશિર્વાદો. ખોરદાદ એ  શુધ્ધ પાણીના પ્રાયોજક સાથે સંપૂર્ણતાની ગુણવત્તાનું પ્રતિનિધિત્વ કરે છે. ખોરદાદ અને અમરદાદ માનવજીવનના અંતિમ ધ્યેયનું પ્રતિનિધિત્વ કરતા બે ખ્યાલો – સંપૂર્ણતા અને અમરત્વ. ખોરદાદ યસ્તમાં, ખોરદાદ સંદર્ભિત એમ કહેવામાં આવે છે કે બધીજ ઋતુઓ સમયસર આવે. બીજા […]

શિરીન

એક ઘંટી મારી તે જવાને તેના પ્યુન આગળ શિરીનને બોલાવી મંગાવી. થોડીકવારે તે ગરીબ બાલા ઓશકાતી ગભરાતી દાખલ થઈ કે ફિરોઝ ફ્રેઝરે બારણું બંધ કરી તેણીને પોતા પાસ ખુરશી પર બેસાડી પછી ગમગીન સાથ પૂછી લીધું. ‘શિરીન, શિરીન તે કાંય નહીં મને તારા ભઈ વિશે જણાવ્યું?’ ‘પણ..પણ ફિલ, તમોએ તેને પકડાવી આપવાના સોગંદ લીધા હતા.’ […]