દિવાળીએ પ્રકાશનો તહેવાર છે ઘોંઘાટનો નહીં

પારસી સમુદાય ઉજવણી કરવાનું પસંદ કરે છે. આપણા પોતાના તહેવારો જ નહીં, પરંતુ દિવાળી અને ક્રિસમસ સમાન ઉત્સાહ સાથે ઉજવે છે. જો કે, ઘણી વખત આપણા ઉત્સાહમાં, આપણા પોતાના ધર્મના અમુક મૂળભૂત ઉપદેશોનું આપણે જ ઉલ્લંઘન કરીએ છીએ. ઉદાહરણ તરીકે દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાનો દુરુપયોગ. ફટાકડા માત્ર હવા અને ધ્વનિ પ્રદૂષણનો સ્ત્રોત નથી, પરંતુ એ ઝોરાસ્ટ્રીયન દૃષ્ટિકોણ મુજબ આતશનો દુરુપયોગ કરવાનું એક સાધન છે. વર્ષોના સર્વે અને અભ્યાસ દર્શાવે છે કે દિવાળી દરમિયાન, ધ્વનિ પ્રદૂષણ વધી જાય છે જે માનવ અને પ્રાણીઓ સહન કરી શકતા નથી.
દિવાળી અનિવાર્યપણે પ્રકાશનો તહેવાર છે, જે કમનસીબે ઘોંઘાટ અને પ્રદૂષણ વધારનાર તહેવાર બની ગયો છે. શા માટે દિવાળી (પ્રકાશ અને રંગનો તહેવાર) તેલની રોશની સાથે ઉજવી શકાતી નથી. દીવા, ફાનસ અને રંગોળીનું પ્રદર્શન? આપણે પૈસાનો ધુમાડો કરીએ છીએ હાનિકારક ઘોંઘાટીયા ફટાકડા માટે.
સૈદ્ધાંતિક રીતે, અમે માનીએ છીએ કે અહુરા મઝદાના પ્રગટ સ્વરૂપોમાં આતશ પ્રથમ છે. પ્રજવલિત પદાર્થ અથવા ભૌતિક આતશનું અન્ય કોઈપણ સ્વરૂપ, તેથી, માત્ર ભૌતિક પ્રકૃતિમાં જ નહી, પરંતુ તેમાં દૈવી આતશ પણ છે. જે અગ્નિને તેની શુદ્ધતા અને પવિત્રતા આપે છે. ક્યારે આપણા શરીરમાં કાર્યરત અગ્નિની શક્તિઓ ઓલવાઈ જાય છે, આપણે મરી જઈએ છીએ અને શરીર ઠંડું પડે છે. ક્યારે આ શક્તિઓ અવરોધિત થાય છે તેમાં ખલેલ પહોંચે છે, આપણે બીમાર પડીએ છીએ.
યોગના પ્રાચીન વિજ્ઞાન અનુસાર, ત્યાં જીવન અને ચેતનાના સાત ગુપ્ત કેન્દ્રો છે, જે ભૌતિક અને અપાર્થિવ શરીરને જીવંત બનાવે છે.
માણસ તેને ચક્ર (પૈડા) કહે છે કારણ કે દરેકમાં કેન્દ્રિત ઊર્જા એક કેન્દ્ર જેવી છે જેમાંથી જીવન આપનાર પ્રકાશ અને ઉર્જાનાં કિરણો નીકળે છે. હિંદુઓ આ ચક્ર ને મંત્રોની મદદથી સક્રિય કરે છે (દા.ત., ઓમનો જાપ), પ્રાણાયામ (પ્રાણ એ જીવન-શ્વાસ છે અથવા પરમહંસ યોગાનંદ કહે છે તેમ પલાઇફટ્રોન્સથ છે), યોગ, વગેરે.
પારસી લોકો આધ્યાત્મિક તારિકાઓની મદદથી આ ઉર્જા કેન્દ્રો અથવા ચક્ર ને સક્રિય કરી શકે છે.
(શિસ્ત) જેવી કે શારીરિક અને માનસિક શુદ્ધતા અને સુદ્રેહ-કસ્તી, અગિયારી, આતશ બહેરામની સહાય, મંથરાવની, (અવેસ્તાન પ્રાર્થના) અને આશા (સદાચાર)ના માર્ગને અનુસરીને, તેમજ જીવતા તેના પર્યાવરણ સાથે સુમેળ.
ચાલો આપણે આ વર્ષથી દિવાળીને અલગ રીતે ઉજવવાનો સંકલ્પ કરીએ. ચાલો પ્રકાશ ફેલાવીએ અને સાથે આનંદ કરીએ.
આપણા ઘરોમાં અને આપણા હૃદયમાં દીવાઓનો પ્રેમનો અને શિક્ષણનો પ્રકાશ ફેલાવવાનો સંકલ્પ કરીએ.
ચાલો ગરીબ, જરૂરિયાતમંદ અથવા બીમાર વ્યક્તિના ચહેરા પર સ્મિત પ્રગટાવીએ. આ દિવાળીની ઉજવણી યોગ્ય ભાવનાથી કરીએ. આપણે ફટાકડાના દુરુપયોગથી અન્ય લોકોને અગવડતા પહોંચાડવાથી દૂર રહેવાનો સંકલ્પ કરીએ. તહેવાર માટે જે શાંતિને પ્રોત્સાહન આપે છે, ફટાકડાનો ઉપયોગ હિંસાનું સાધન છે. પૈસાને ફૂંકાવાને અને ધુમાડામાં વાપરવાના બદલે પૈસાનો ઉપયોગ શાંતિ, શિક્ષણ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો દીવો પ્રગટાવવામાં કરીએ.
સિઝનની શુભેચ્છાઓ! અને વધુ પ્રકાશ ફેલાય તહેવાર દરમિયાન અને તહેવાર પછી પણ.

Leave a Reply

*