આપણા ધાર્મિક સિદ્ધાંતોના પાસાઓને સમજવું

પારસી લોકો આતશના ઉપાસક છે. દંતકથા મુજબ, શાહ હોશંગ દ્વારા પ્રાગૈતિહાસિક સમયમાં આગની શોધ કરવામાં આવી હતી.
તેથી, જ્યારે પારસી લોકો આતશ પાસે પ્રાર્થના કરે છે, ત્યારે તેઓ અહુરા મઝદાની આતશ તરીકે પૂજા કરે છે. પારસી દ્રષ્ટિકોણથી, આતશ એ – પ્રકાશ આપનાર અને જીવન આપનાર બન્ને છે. આપણે આતશની પ્રાર્થના કરીએ છીએ કારણ આતશ પરમાત્માની સૌથી નજીકની ઉર્જા છે. તે ઊર્જા છે, તે પ્રકાશ છે, તે હૂંફ છે અને તે જીવનદાન આપનાર છે. અંધકાર કે દુષ્ટતાનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી.
જેમ અંધકાર એ પ્રકાશની ગેરહાજરી છે, તેવી જ રીતે ખરાબ પણ સારાની ગેરહાજરી છે.
આપણામાંથી ઘણાને આશ્ચર્ય થાય છે કે બોઈ સમારંભ દરમિયાન આપણે ઊભા રહેવું જોઈએ કે બેસી રહેવું જોઈએ. બોઈ સમારંભ દરમિયાન, દુષ્ટતાને ધાર્મિક રીતે દૂર કરવામાં આવે છે અને આનાથી કેટલાક ભક્તો વિચારે છે કે જો કોઈ ઘંટના તાલ પર ઉભા થાય છે, તો તેનો મતલબ તે દુષ્ટ શક્તિઓને આદર આપવા માંગે છે! પરંતુ બોઈ વિધિ નિયુક્ત જરથોસ્તી ધર્મગુરૂઓ દ્વારા પાંચ ગેહમાં કરવામાં આવે છે. આ વિધિ દરમિયાન કોઈ ભક્તે બેસવું કે ઊભું રહેવું જોઈએ તે કોઈ જાણીતા ઝોરાસ્ટ્રિયન ગ્રંથમાં જણાવવામાં આવ્યું નથી. જો કે, ધાર્મિક પરંપરાના ભાગરૂપે, ધર્મગુરૂઓ આતશ નિઆએશ અર્પણ કરવા તેને માન આપવા હંમેશા ઊભા રહે છે. આથી, જો ભક્ત બોઈ સમારંભ સમયે આતશ નિઆશની પ્રાર્થના કરી રહ્યો હોય, તો તેણે આતશને માન આપવા ઊભા રહેવું જોઈએ.
જોવામાં આવતા મુખ્ય શિષ્ટાચારમાંનો એક એ છે કે પ્રાર્થના કરતી વખતે માથું ઢાંકવું જોઈએ. પારસી ધર્મમાં, વાળને નાસો અથવા મૃત પદાર્થ તરીકે જોવામાં આવે છે. તેથી, બધા પારસીઓએ તેમના માથાને ઢાંકવું જરૂરી છે, ખાસ કરીને પ્રાર્થના કરતી વખતે અથવા ધાર્મિક સમારોહમાં હાજરી આપતી વખતે અથવા અગિયારી અથવા આતશ બહેરામની અંદર હોય ત્યારે માથું ઢાંકવું જરૂરી છે. એવું માનવામાં આવે છે કે વાળ જે ખરી જાય છે તે આસપાસના ધાર્મિક વાતાવરણને અશુદ્ધ
બનાવે છે.

Leave a Reply

*