કાચી કેરીનું ખાટુ અથાણું

સામગ્રી: 1 કિલો કાચી કેરી, 370 ગ્રામ ટાટાનું મીઠું, 75 ગ્રામ હળદર, 220 ગ્રામ વરીયાળી, 100 ગ્રામ મેથી, 60 ગ્રામ સુંઠ, 30 ગ્રામ મરી, 220 ગ્રામ રાઈની દાળ, 10 ગ્રામ હીંગ, 800 ગ્રામ સરસરીયાનું તેલ. રીત: કેરીને ધોઈ કોરી કરી તેના નાના એક સરખા કકડા કરવા તેને એક તપેલામાં નાખી ઉપરનો બધો મસાલો નાખવો બરાબર […]

હસો મારી સાથે

દારૂ પીતા લોકોને ખરાબ આદતથી છોડાવવા એક ડોક્ટર તેમની વચ્ચે ગયાં. સૌને ભેગા કર્યાં. તેમની સામે બે મોટા કાચના ગ્લાસ ભર્યા. એકમાં શુદ્ધ પાણી નાખ્યું અને બીજામાં દારૂ ભર્યો. સૌના દેખતાં તેમાં એમણે બે અળસિયા નાખ્યાં. બધાને ધ્યાનથી જોવાનું કહ્યું. પાંચેક મિનિટ બાદ, દારૂના ગ્લાસમાં નાખેલું અળસિયું તરફડીને મરી ગયું જ્યારે પાણીમાં નાખેલું અળસિયું આરામથી […]

લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

એક વંશીય સમુદાય તરીકે હજાર વરસોથી પારસી સમુદાય ભારતમાં અસંખ્ય પૌરાણિક માન્યતાઓ સાથે જીવે છે અને આપણા સમુદાયના કેટલાક વડીલો સાથે તાજેતરમાં વિચારવિમર્શ કરતા સમજાયું કે તેના પરથી પ્રસંગોપાત ધૂળ સાફ કરવી પણ જરૂરી છે. પરંતુ જાણવા મળ્યું કે આપણા વડીલોજ કેટલીક બાબતો અને સત્યથી અજાણ છે તો આપણે યુવાનો તેમની પાસેથી શું આશા રાખી […]

‘બંદગી’નો અર્થ શું છે? કુદરતની સેવા કરવા માટેની ખાહેશ પૂરી પાડનારી મારફત તે  ‘બંદગી’

ઈન્સાને બંદગી કરવી જરૂરી છે. બંદગીનો મતલબ હાંસેલ કરવાની ઈચ્છા. ઈન્સાન મીનીટે કઈ અને કંઈ ખાહેશ રાખ્યાજ કરે છે. તેનું મન એમ ચલીત જ છે. આવી ચલીત ગતી જે મનની છે તેને ‘તેવી પી’ કહે છે, જે ભલી ગોસ્પંદી-‘ગવ’ના સ્વભાવની, પરમાર્થી, બીજાને માટે પોતાનું અર્પણ કરનારી  હોય અથવા સ્વાર્થી એટલે બીજાંને ભોગેબી પોતાનું જ જોનારી […]

ભગવાનની કાબેલિયત

એક ચર્ચની પાછળ આવેલ આસોપાલવ જેવા એક પાતળા ઊંચા ઝાડ પર બિલાડીનું સાવ નાનકડું બચ્ચું ચડી ગયું હતું. ચર્ચના પાદરી તેમ જ એમનો મદદનીશ માણસ એને ઉતારવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ એમની કોશિશથી ગભરાઈ ગયેલું બચ્ચું વધારે ઊંચે ચડી જતું હતું. અચાનક પાદરીને એક વિચાર આવ્યો. ઝાડની સહેજ ઊંચેની ડાળી સાથે એક દોરી બાંધીને […]

શાહજાદો ઈરાન જવા રાજકુંવરી જોડે પાછો ઉડયો!

રાજઈરાનના શાહજાદાના આમને આમ બે માસ, બંગાલમાં વહી ગયા. તે વખતમાં રાજકુંવરીએ તેા મોટા રાજ્યને યોગ્ય શાહજાદાની ઘણી મહેમાનગીરી ચાખવામાં, તે શાહજાદો પોતાનું વર્તન અને પોતાના વહાલા માતપિતાને પણ સાવ ભુલી ગયો! પણ એક દિવસ તેનું વતન અને તેનાં માતપિતા સૌ યાદ આવતા તેણે રાજકુંવરીને કહ્યું કે મારા માબાપ મને બહુ યાદ કરતાં હશે અને […]

Your Moonsign Janam Rashi This Week –
14 April, 2018 – 20 April, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. સુર્યની દિનદશા ચાલુ થયેલી છે તેથી 4થી મે સુધીમાં સરકારી કામમાં સફળતા નહીં મળે. બેકીંગ જેવા કામમાં સંભાળજો. વડીલ વર્ગની તબિયત અચાનક બગડી જશે. તમારા અંગત કામો કરવામાં મુશ્કેલી આવતી રહેશે. સારી ખબર આવશે તેવી આશા રાખતા નહીં. ઘરનું વાતાવરણ સારૂં નહીં […]

જીવન એક સંઘર્ષ

એક ખુબજ ગરીબ ગામડામાં રેણુકાનો જન્મ થયો હતો. મા-બાપ મજૂરી કરી બે ટંકનું જમવાનું મેળવતા હતા. કોઈ દિવસ કામ ન મળે તો ભુખ્યા પેટે પણ સુવું પડે. આવી કારમી ગરીબાઈમાં રેણુકા ધીમે ધીમે મોટી થવા માંડી અને માતાપિતાએ એને પણ મજૂરીમાં રોકી લીધી. રેણુકાને શાળાએ જવું હતું ખૂબ ભણવું હતું, સારા કપડા પહેરવા હતા, પેટ […]

હસો મારી સાથે

જંગલમાં એક સિંહ અને આખલા એ વાતોનો ડાયરો જમાવ્યો… વાતો કરતાં કરતાં રાત પડી ગઈ, સિંહ ઉભો થઈ ગયો ‘ચાલ હવે હું ઘરે જાઉં છું.’ આખલો કહે ‘અરે બેસ ને યાર, મહેફિલ ખુબ સરસ જામી છે.’ સિંહ કહે ‘તારે ઠીક છે તારા ઘરે ગાય છે, મારા ઘરે તો સિંહણ છે….છોતરા કાઢી નાખે.’ *** લાલુભાઈ હજામની […]

ઈરાનના રાજકુંવરે બંગાળની રાજકુંવરીનું મન હરી લીધું!

બન્ને કરામતી ઘોડાપર બેસી અઢી કલાકમાં ઈરાન આવ્યા!! શાહજાદાને આમ સવાર સુધી આરામ લેવાની વિનંતી કરી, રાજકુંવરીએ પોતાની બાંદીઓને જગાડી તેમને હુકમ આપ્યો કે આ રાજકુમારને માટે, સર્વે પ્રકારના આરામની અને ખાવા પીવાની સુંદર ગોઠવણ કરો. રાજકુંવરીના કહેવા પ્રમાણે તેની દાસીઓએ શાહજાદા ફિરોજશાહ માટે બધી ગોઠવણ કરી. શાહજાદાને તેનો ઓરડો બતાવ્યો, ત્યાં તેને માટે ખાવાનું […]

દસ્તુરજી કુકાદારૂ સાહેબના જન્મદિવસના પ્રસંગે તેમના દ્વારા થયેલા કાર્યોની અદભુત ઝલક

એમના જીવન દરમ્યાન તેમણે ઘણાજ ચમત્કારો કરેલા હતા. એમનો જન્મ 26મી મે 1831માં જમીઆદ રોજ અને આવાં મહિનાના દિને સુરતમાં થયો હતો. તેઓ ભારપૂર્વક પ્રાર્થનામાં રહેલી શક્તિમાં માનતા હતા. તેઓ એકદમ સાદુ જીવન જીવતા હતા. તેઓ પોતાનું જમવાનું પોતેજ રાંધતા હતા. તેઓ ખીચડી સુર્યના તાપ તથા મંત્રોશક્તિથી બનાવતા હતા. તેઓ એક સન્યાસીનું જીવન જીવતા હતા. […]