ઉદવાડા સ્ટેશન ખાતે દુ:ખદ અકસ્માત

વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર અને દિનશા તંબોલીએ કરેલી મધ્યસ્થી

15મી સપ્ટેમ્બર 2017ને દિને ઉદવાડા મ્યુઝિયમના કેરટેકર અસ્પી સિપોય ઉદવાડા સ્ટેશનથી ફિરોઝપુર જનતામાં ચઢતી વખતે પગ સ્લીપ થતા ટ્રેનની નીચે ટ્રેક પર સરકી જતા દુ:ખદ અકસ્માત થયો હતો. તેમના પગને સખત ઈજા થઈ હતી. તેમને વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ પગને સખત ઈજા થવાને કારણે તેમના પગ કાપવા પડયા હતા.

સમાચારની ખબર પડતા ઉદવાડાના વડા દસ્તુરજી ખુરશેદ કે. દસ્તુર અને ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડના ચેરમેન દિનશા કે. તંબોલીએ મધ્યસ્થી કરી પરિસ્થિતિ સંભાળવા પગલાં લીધા હતા. પારસી ટાઈમ્સન તેમણે જણાવ્યું હતું કે ‘લોકોને જાણ થાય કે ઉદવાડાના મ્યુઝિયમના કેરટેકર અસ્પી સિપોય ગંભીર અકસ્માતનો ભોગ બન્યા છે અને ઘુંટણ નીચેથી તેમના પગ કાપવા પડયા છે. હમણાં મેડિકલ રીતે થતા બધા ખર્ચા તેઓ દ્વારા કરવામાં આવશે. આગળ જતા જરૂરિયાત વધતા ‘જાહેર અપીલ’ કરવામાં આવશે.’

હંમેશની જેમ પારસી ટાઈમ્સ વાંચકોને આગળની પરિસ્થિતિની જાણ કરતી રહેશે.

Leave a Reply

*