22મી ઓક્ટોબર, 2021ના રોજ, સમુદાયે તેના આદરણીય ધાર્મિક નેતા અને વિદ્વાન – દસ્તુરજી એરવદ અસ્પંદિયાર દાદાચાનજીને ગુમાવ્યા – જેઓ આપણા ગૌરવશાળી ધર્મ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને સેવા માટે જાણીતા હતા.
પારસી વિદ્વાન અને ઇતિહાસકાર, નોશીર દાદરાવાલાએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે એરવદ અસ્પંદિયાર દાદાચાનજીનું નિધન પારસી જરથોસ્તી સમુદાય માટે દુ:ખદ ખોટ છે. તેઓ પારસી ધર્મના ઉચ્ચ વિધિ-વિધાન સમારોહની બાબતોમાં સત્તા ધરાવતા હતા અને તેમણે પોતે અનેક વંદીદાદ અને નિરંગદિન સમારંભો કર્યા હતા. તેમણે નવસારી નજીક તવડી ખાતેના પવિત્ર આતશને મુંબઈના ગોદરેજ બાગમાં ખસેડવાનું માર્ગદર્શન અને નેતૃત્વ કર્યું હતું.
તેમના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ, વિદેશી સહિત ઘણા યુવાન છોકરાઓને નાવર અને મરતબ તરીકે દીક્ષા આપવામાં આવી છે.
તેઓ ઘણા લોકો માટે આધ્યાત્મિક માર્ગદર્શક હતા. તે ધર્મગુરૂઓ અને સામાન્ય લોકો બંનેને ધાર્મિક પાલનની બાબતોમાં ખોટા આડંબર વગર માર્ગદર્શન આપતા હતા. તે સૌમ્ય, મૃદુ બોલનાર અને સૌ પ્રત્યે માયાળુ હતા. તે ખુબ વિનોદી હતા અને રમૂજની તેમને મહાન સમજ હતી. તે ક્રિકેટના પણ શોખીન હતા અને લોંગ ડ્રાઈવ પર જવાનું તેમને ગમતું હતું.
મને તેમને નજીકથી અને વ્યક્તિગત રીતે જાણવાનો વિશેષાધિકાર અને આશીર્વાદ મળ્યા હતા. તે મારી અને એસવીજી પુણેના મારા પરમ મિત્ર કુંવરશાહ મહેતા સાથે ઈરાનના અનેક પ્રવાસો પર સાથે હતા. તીર્થયાત્રીઓમાં તેમની હાજરીની ઈરાનમાં રહેતા સાથી જરથોસ્તી સહિત તમામ પર શાંત અને આધ્યાત્મિક અસર હતી. બસમાં, તે ધીરજપૂર્વક શું પ્રાર્થના કરવી અને પવિત્ર જરથોસ્તી જીવન કેવી રીતે જીવવું તે અંગેના પ્રશ્ર્નોેના જવાબ આપતા.
હકીકતમાં, જ્યારે કુવરશાહ અને હું તેમને તાજેતરમાં મળ્યા, ત્યારે તેમનો રોજનો જન્મદિવસ હતો, ત્યારે તેમણે વધુ એક વખત ઈરાનની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જરથોસ્તી ધાર્મિક ગ્રંથો કહે છે કે આત્મા ઉત્તરી ઈરાનમાં અલ્બ્રોઝ પર્વતમાળા દ્વારા બીજી દુનિયામાં જાય છે. તેઓનો જીવાત્મા હવે ઈરાન જશે.
તેમની લહેરાતી સફેદ દાઢી અને તેજસ્વી ચહેરા સાથે, તેમણે દુર્લભ ધર્મનિષ્ઠા પ્રગટ કરી અને ફક્ત તેમની હાજરીમાં રહેવું નમ્ર અને વિસ્મય પ્રેરણાદાયક હતું.
તેમનો પવિત્ર આત્મા આધ્યાત્મિક જગતમાં પ્રગતિ કરે અને આપણા બધાને આશીર્વાદ આપે.
- Ratan Tata Felicitated With KISS Humanitarian Award - 27 April2024
- દિકરી એટલે બીજી માં… - 20 April2024
- નાગપુરની બાઈ હીરાબાઈ એમ. મુલાનદરેમહેરનો ઇતિહાસ - 20 April2024