કરાચીમાં દિનશા બી. અવારી રોડનું ઉદ્ઘાટન થયું

4ઠ્ઠી ડિસેમ્બર, 2021 ના રોજ કરાચી સ્થિત પારસી નિવાસી બહરામ અવારીએ, સિંધના મુખ્ય પ્રધાન – સૈયદ મુરાદ અલી સાથે પાકિસ્તાનના કેમારીમાં પદિનશા બી. અવારી રોડથનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહમાં પારસી સમુદાયના નોંધપાત્ર સભ્યો અને અન્ય સરકારી અધિકારીઓની સાથે સમગ્ર અવારી પરિવાર પણ હાજર રહ્યો હતો. દિનશો બી. અવારી માર્ગ તેના ઔદ્યોગિક વિસ્તારો અને અપ-ક્ધટ્રી આયાત અને નિકાસ સહિત કરાચી સાથે બંદરને જોડે છે, જે પપાકિસ્તાનના પ્રવેશદ્વારથ તરીકે પ્રખ્યાત છે.
ચીફ મિનિસ્ટર અલીએ કહ્યું કે દિનશા બાયરામજી અવારીની ઉત્કૃષ્ટ સેવા અને કરાચીની પ્રગતિમાં યોગદાન માટેના સન્માનમાં આ રોડનું નામકરણ કરવામાં આવ્યું છે. દિનશા અવારીનો જન્મ 22મી ઓગસ્ટ, 1902ના રોજ એક નમ્ર પરિવારમાં થયો હતો અને તેની માતાનું અવસાન થયું હોવાથી અને તેના પિતાને દિવસ દરમિયાન કામ કરવું પડતું હોવાથી તેણે અનાથાશ્રમમાં અભ્યાસ કર્યો હતો. સ્ટ્રીટ લાઈટના પ્રકાશમાં અભ્યાસ કરીને તેણે કોમર્સ (બી.કોમ)માં સ્નાતક પૂર્ણ કર્યું. બાદમાં તે કેનેડિયન વીમા કંપનીમાં કારકુન તરીકે નોકરીમાં જોડાયા હતા. તેમની સખત મહેનત અને સમર્પણથી તેમને કરાચીના મેનેજર તરીકે પ્રમોશન મળ્યું અને ટૂંક સમયમાં તેઓ સિંધ, બલૂચિસ્તાન, એનડબ્લ્યુએફપી, પંજાબ અને અફઘાનિસ્તાન માટે જનરલ મેનેજર બન્યા. બાદમાં દિનશાએ હોટેલીયર બનવા માટે તેની કારકિર્દી બદલી.
બ્રિટિશ સરકાર દ્વારા સુશોભિત, દિનશા અવારી રોટરીના સ્થાપક સભ્ય અને કરાચી પારસી અંજુમન સહિત અનેક પારસી ટ્રસ્ટોના ટ્રસ્ટી પણ હતા. અસંખ્ય સામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ હોવા ઉપરાંત તેઓ બીવીએસ બોયઝ સ્કૂલ, મામા પારસી ક્ધયા શાળા અને બીએમએચ પારસી હોસ્પિટલના ટ્રસ્ટી પણ હતા. તેઓ ધ ડેફ એન્ડ ડમ્બ સેન્ટરના સ્થાપક અને પ્રમુખ હતા. પાકિસ્તાન સી સ્કાઉટ્સના સ્થાપક, હોટેલ્સ એસોસિએશન ઓફ પાકિસ્તાનના સ્થાપક પ્રમુખ અને સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ તેમજ સિંધ રેડક્રોસ રેડ ક્રેસન્ટ સોસાયટીના સભ્ય પણ હતા. સ્વ-નિર્મિત માણસ તરીકે દિનશાએ હંમેશા ઓછા વિશેષાધિકૃત અને ગરીબોના કલ્યાણ માટે યોગદાન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમના દરવાજા બધા માટે 24 કલાક માટે ખુલ્લા રહેતા હતા. તેમણે આશા અને ખુશી વ્યક્ત કરી કે સમાજ સેવાનો તેમનો વારસો તેમના પુત્ર – બહરામ અવારી દ્વારા ચાલુ રાખવામાં આવશે. આ પ્રસંગે બોલતા, બહરામે તેમના પિતાના નામ પર એક મહત્વપૂર્ણ માર્ગનું નામકરણ કરીને સિંધ સરકારની પ્રશંસા કરી હતી.
પદિનશા બી. અવારીથ રોડ જે બે કિલોમીટરમાં ફેલાયેલો છે તે અગાઉ જર્જરિત હાલતમાં હતો તે હવે પાકિસ્તાનમાં આવતા અને જતા માલસામાનની હેરફેરને સરળ બનાવવામાં ઘણો મદદગાર બનશે.

Leave a Reply

*