વડીલોની માન-મર્યાદા સાચવશો તો, સુખ, શાંતિ, આનંદ, લક્ષ્મીજી બધું જ તમારી સાથે હશે!!

એક વાણિયો બીમાર પડયો દવા દારૂ ચાલુ હતા. અચાનક એક દિવસ સપનામાં લક્ષ્મીજી દેખાયા લક્ષ્મીજી વાણિયાથી લક્ષ્મીજી નારાજ થઇ ગયા. જતા સમયે બોલ્યા હું જઇ રહી છું, અને મારી જગ્યાએ નુકસાન આવી રહ્યું છે. તૈયાર થઇ જજો. પરંતુ, હું તને છેલ્લી ભેટ જરૂર આપવા માંગીશ. માંગ, તારી જે પણ ઇચ્છા હોય તે.
વાણિયો બહુ જ સમજદાર હતો. તેણે વિનંતિ કરી કે નુકસાન આવે તો ભલે આવે, પણ એને કહેજો કે મારા પરિવારમાં પ્રેમ તોડાવે નહીં. બસ, મારી આ જ ઇચ્છા છે.
લક્ષ્મીજીએ તથાસ્તુ: કહ્યું.
થોડાક દિવસો પછી, વાણિયાની દિકરીના લગ્ન માટે તેના ભત્રીજાએ ભુલથી ખોટું સોનું ધરાવતો સેટ ખરીદ કરી લીધો.
વાણિયાને ખબર પડતાં દુ:ખ થયું, પરંતુ તે 50,000 ના નુક્સાન માટે પોતાના ભાઈના દીકરાને વઢયા નહિ, ફક્ત શિખામણ આપી. એ સમજી ગયા હતા કે નુકશાન પ્રવેશ કરી ચુક્યો છે. ઘરે જતા પહેલા ભગવાનના મંદિરે જતો જાઉં, એમ વિચારી તે લક્ષ્મી-નારાયણ મંદિરે ગયા.
ત્યાં તેમના મોંઘા ચપ્પલ કોઈ ચોરી ગયું. નુકસાન…, એનો પરચો બતાવવા લાગ્યો હતો. આ બાજુ ઘરે, વાણિયાની સૌથી નાની વહુ ખીચડી બનાવતી હતી. તેણે મીઠું વગેરે નાખ્યું, અને બીજું કામ કરવા લાગી. ત્યારે બીજા છોકરાની વહુ આવી અને ચાખ્યા વગર મીઠું નાખીને ચાલી ગઈ. તેની સાસુએ પણ આવું જ કર્યું.
સાંજે સૌથી પહેલા વાણિયો આવ્યો. પહેલો કોળિયો મુખમાં લીધો તો ખ્યાલ આવ્યો કે બહું જ વધારે મીઠું પડી ગયુ છે. એ સમજી ગયા કે નુકસાન આવી ગયું છે. પણ કંઇ બોલ્યા વગર ચૂપચાપ ખીચડી જમીને ચાલ્યા ગયા. એના પછી મોટા દીકરાનો નંબર આવ્યો.એણે પણ પહેલો કોળિયો મોઢામાં મુકતા તરત પૂછ્યુ કે પપ્પાએ જમવાનું જમી લીધું? એમણે કંઇ કહ્યું ? બધાએ જવાબ આપ્યો નહા, જમી લીધું! કઈ જ નથી બોલ્યાથ
હવે દીકરાએ વિચાર્યું કે જ્યારે પિતાજી જ કઈ નથી બોલ્યા તો હું પણ ચૂપચાપ જમી લઉ. આવી રીતે ઘરના બીજા સદસ્યો એક એક આવ્યા. પહેલા વાળાનું પૂછતા, અને ચૂપચાપ જમીને ચાલ્યા જતા. રાતે નુકસાન હાથ જોડીને વાણિયાને કહેવા લાગ્યો, પ હું જઈ રહ્યો છું. વાણિયાએ પૂછ્યું, કેમ ?
ત્યારે નુકસાન કહે છે, તમે લોકો એક કિલો તો મીઠુ ખાઈ ગયા. તો પણ, તમારા પરિવારમાં, ઝઘડો જ ના થયો. મને લાગે છે કે મારું તો અહીં કંઈ જ કામ થાય એમ નથી.
ઝઘડો, કમજોરી એ નુકસાનની ઓળખાણ છે. જ્યાં પ્રેમ છે, ત્યાં લક્ષ્મીનો વાસ છે. સદા પ્રેમ વહેંચતાં રહો. નાના- મોટાની કદર કરો.
જે મોટા (વડીલ) છે એ મોટા જ રહેવાના, પછી ભલેને, તમારી કમાણી એમની કમાણીથી વધારે હોય. માટે વડીલને, વડીલ રહેવા દો. એમની માન-મર્યાદા સાચવજો. તો, સુખ, શાંતિ, આનંદ, લક્ષ્મીજી, બધું જ તમારી સાથે જ છે.

Leave a Reply

*